Book Title: Vividh Vishay Vicharmala Part 05
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 184
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ઇતિ તૃતીય નિર્વેદ લિંગમ્ અનુકંપાનું સ્વરૂપ હવે ચોથા અનુકંપા લિંગને કથન કરે છે. એવી રીતે નિર્વેદ લિંગવડે કરીને વ્યાપી નિશ્ચય સમ્યગદષ્ટિ જીવ જે તે અનુકંપા કહેતા જીવદયા તત્પર રહે છે, ને કહે છે. દયા બે પ્રકારની દ્રવ્યને ભાવ. દ્રવ્યથકી દીનહીન, પ્રાણાયોને સુધાવડે કરી કલેશ પામતા દેખીને દાનાદિક આપી તેની દીનતા નાશ કરવાની બુદ્ધિ હોય છે. થોશમ્ - मीतेषु आर्तेषु दीनेषु याचमानेषुजीवितम्, प्रतिकार परा बुद्धिः कारुण्यमविभीयते ॥१॥ ભાવાર્થ : ભય પામેલા તથા આર્તધ્યાનને વિષે ડુબેલા, તથા દીનતાને પ્રાપ્ત થયેલા તથા જીવિતવ્યની યાચના કરનારા જીવોને વિષે જે તેનો બચાવ કરનાર ઉપકાર કરવાની ઉત્કૃષ્ટ બુદ્ધિહોય છે, તેનું નામ જ કારૂણ્યતા કહેવાય છે, ભાવથકી મિથ્યાષ્ટિયોને મિથ્યાત્વાદિ નિબંધન, સંસારદુઃખેન દુઃખિત થયેલા જીવોને બોધિ બીજની પ્રાપ્તિ કરવી તેનો વિયોગ કરાવવાની ઇચ્છા હોય છે. दटूठण पाणिनिवहं भीमे भवसायरंमि दुक्खत्तं, अविसेसओणुकंपे दुहाविसामत्थओकुणह ? ભાવાર્થ : ભયંકર ભવસમુદ્રને વિષે દુઃખને પામનારા પ્રાણીયોના સમૂહને દેખીને તેમના ઉપર અત્યંત અનુકંપા લાવીને બન્ને પ્રકારે તેને દુઃખથકી મુક્ત કરવાનું સામર્થ્યને ધારણ કરો. સબબ કે-એવા જીવોને દુ:ખ મુક્ત કરવા કટિબદ્ધ થાઓ. એવી રીતે તે બન્ને પ્રકારે સમ્યગ્દષ્ટિ જીવને બન્ને દયા પણ સમ્યકત્વલિંગવડે કરી વિધતયા કહેલી છે. તોપણ આગળ ઉપર કથન ૧૬૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196