SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૨૩. પદ્માવતી દેવીથી વરને પામેલા અને વચન પ્રમાણે કાર્યસિદ્ધિ કરનારા, અને પિરોજશાહ સુરત્રાણને બોધ કરનાર ૭૦૦ સ્તોત્રના રચયિતા જિનપ્રભસૂરિ મહારાજા, ૨૪. બૌધરાજાને બોધ કરનાર, વજસ્વામી મહારાજા, ૨૫. સિદ્ધાંતોની ટીકા કરનાર, અભયદેવસૂરિ મહારાજા, ૨૬. પૃથ્વીધરને બોધ કરનાર, શ્રી ધર્મઘોષસૂરિ મહારાજા, ૨૭. મિથ્યાત્વી થઇ ગયેલ કપર્દિયક્ષને બોધ કરી નવીન કપર્દિયક્ષને સ્થાપન કરનાર શ્રી ધર્મઘોષસૂરિ મહારાજા, ૨૮. દરેક શ્લોકના સો સો અર્થ કરનાર સોમપ્રભસૂરિ મહારાજા. (ઉપશમ વિગેરેનું સ્વરૂપ) ૧. ઉપશમ, ૨. સંવેગ, ૩. નિર્વેદ, ૪ અનુકંપા, ૫. આસ્તિયા, એ પાંચ સમ્યક્ત્વનાં લિંગો કહેલાં છે. તેમાં આગળ ઉપર કથન કરવામાં આવશે તેવા પ્રકારના મિથ્યાભિનિવેશની જે વ્યાવૃત્તિ તે ઉપશમ કહેવાય ૨. તથા ષટખંડની પૃથ્વીના સામ્રાજ્યનું સમગ્ર પ્રાપ્તિપણું હોય પણ તે સમગ્ર દારૂણ, દુઃખમય અને સંસારમાં પરિભ્રમણનું કારણ છે, માટે નિરંતર સંસાર સુખને દુઃખ માની, અત્યંત આનંદમય મુક્તિસુખની અભિલાષા તે સંવેગ કહેવાય છે. ૩. દેવ, મનુષ્ય, તિર્યંચ, નરકાદિક દુઃખોને નિરંતર સ્મરણ કરી તેના અનુભવમય નિરંતર પોતાના આત્માને માનતો, અને આ ચારે દુઃખો મને ક્યારે હવે છોડશે? અગર પ્રગટ નહિ થાય તે દુઃખોથી મન સંબંધી ઉગ કરે તે નિર્વેદ કહેવાય છે. ૧૫૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy