SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૪. દરેક પ્રકારે પૂજાદિ લાભની ઇચ્છા ધારણ કરતો મિથ્યાદષ્ટિ જીવોને હું કયારે દુઃખથી મુક્ત કરીશ. દ્રવ્ય ભાવથી પરનાં દુઃખને હણવાની ઇચ્છા તે અનુકંપા કહેવાય છે. ૫. ભગવાનના વચનથી જીવ પદાર્થ છે, કુતીર્થાદિક વચનને વિષે શ્રદ્ધા નહિ કરતો જીવ છે. પરલોક છે. આવી મતિ ધારણ કરે તે આસ્તિક કહેવાય છે. હવે મિથ્યા અભિનિવેશનાં ઉપશમનું સમ્યક્ત્વ પ્રથમ હોવાથી આદિને વિષે તેને સ્થાપન કરેલ છે. સર્વજ્ઞના વચનથકી વિપરીત પક્ષપાત સંબંધી મિથ્યા અભિનિવેશ કદાગ્રહ તેનું જે ઉપશમપણું, સર્વથા નાશ પણું તે ઉપશમ કહેવાય છે. મિથ્યાત્વના ઉપશમજન્ય સમ્યક્ત્વ, તેનો ઉદય થતા તુરતજ સૂર્યના ઉદયથી અંધકાર નાશ પામે છે તેમ મિથ્યાત્વ અભિનિવેશ શાંત થાય છે. તે ઉપશમ કહેવાય છે. ઉપશમ લિંગ જે તે સમ્યક્ત્વનું અનુમાન કરનારું છે. જેના પછાડી જે ઉદય થાય છે તેનું કાર્ય કહેવાય ઇતિ ન્યાયાત્ જેમ ધૂમાડાથી અગ્નિનું અનુમાન કરાય છે તેમ અનંતાનુબંધિવાળાને ઉપશમ નહિ, કારણ કે ચારિત્ર પ્રત્યે વિચિત્રપણું ઉત્પન્ન કરે, એટલે ચારિત્રનું આવરણ કરે. દેશવિરતિ, સર્વવિરતિને મોહ ન કરે મુઘતિ આવિયતે અનેન ઇતિ મોહનીય, અને “કષ્યન્ત પ્રાણિનો અસ્મિ” ઇતિ કષઃ સંસાર તેનો આય-લાભ તે કપાયો કહેવાય. અનંતાનુબંધી આદિ ૧૬. તથા કષાયોનાં સહચારિપણાથી નવ નોકષાયો એવી રીતે ૨૫. ચારિત્રાવરણીય, મોહનીય કર્મપાવડે કરી દેખાડ્યા છે. ભગવાને મોહનીય કર્મ ૨ પ્રકારે કહ્યું છે : દર્શન મોહનીય ૧. ચારિત્ર મોહનીય ૨. દર્શન મોહનીય ત્રણ પ્રકારે સમ્યક્ત્વ મોહનીય મિશ્રમોહનીય, ૧૫૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy