Book Title: Vichar Pankhi
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 65
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિ તણો, પણ તણાઈના જાવ! પણ તરવું કે તણાવું - બન્ને જુદી વસ્તુ છે. જિંદગીમાં મોટા ભાગે આપણે તણાઈ જતા હોઈએ છીએ. પછી પ્રવાહ લાગણીઓનો હોય કે ભાવનાઓનો હોય! પ્રવાહમાં વહી જનારા ક્યારેય સામા કિનારે પહોંચી શકતા નથી, કારણ કે કિનારા તરફ એમની નજર રહી શકતી જ નથી! ક્યારેય પણ લાગણીઓમાં વહી જવાથી બચવું જોઈએ! શાંત સંતુલિત અને સ્વસ્થ જીવનયાત્રા માટે આ બહુ જરૂરી છે! જેઓ સંતુલિત રહે છે તેઓ જ જીવન જીતી જાય છે ને જીવી જાય છે. જ્યારે તણાઈ જનારા “બેલેન્સ' ગુમાવી બેસનારા મોટા ભાગે જીવન હારી જાય છે, કારણ કે ડૂબવાનો ડર તરનારા કરતાં તણાઈ જનારના માથે વધુ ઘેરાતો રહે છે! જીવનનાં ઘણાં બધાં પાસાં છે..પ્રેમ...કર્તવ્ય, ભાવના, લાગણી, વ્યવહાર...આ બધાંમાં તણાઈ ના જાવ! ચારે બાજુનું વિચારીને...નિર્ણય કરો! સંસારના સાગરમાં તર્યા કરશો તો આજે નહીં તો કાલે પણ કિનારા તરફ ગતિ કરી શકશો. પણ જો તણાઈ ગયા તો પછી તળિયે પહોંચતાં વાર નહીં લાગે! તરવું એટલે અનાસક્તિમાં જીવવું! તણાવું એટલે આસક્તિમાં સબડવું! આસક્તિ જ જીવનના સત્ત્વને શોષી લે છે! પછી તે વ્યક્તિ પ્રત્યેની હોય કે વસ્તુ માટેની! આસક્તિમાં અધિકારની વસૂલાત છે. અનાસક્તિમાં આનંદની અમીરાત છે. ભીતરની ભોમકામાં અનાસક્તિનું નાનું ઝરણુંયે જો વહ્યા કરતું હશે તો મનનો મેલ નીકળી જશે... આસક્તિ ખરડે છે.. આસકિત કરડે છે. આસક્તિ તરડે છે... વિચાર પંખી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154