Book Title: Vichar Pankhi
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 110
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિર જ્ઞાનથી ઝળહળ બનીએ આજે જ્ઞાનપંચમી છે! સમ્યગુ જ્ઞાનની આરાધના-ઉપાસના કરવા માટેની પ્રેરણા આજના દિવસની એક એક ક્ષણ આપણને સંભળાવે છે. જ્ઞાનનો અજવાસ જો માણસ પાસે ના હોય તો જીવનના અંધારભર્યા એ પંથે એકાદ ડગલું યે ન મૂકી શકાય! જ્ઞાન એ તો દીવો છે. જે જીવનને ઝળહળતું કરી દે સાચી સમજણ જે આપે તેને જ જ્ઞાન કહેવાય! જે જ્ઞાન જીવનને અજળાળે.. જીવનને સંસ્કારોથી શણગારી દે એ જ સાચું જ્ઞાન કહેવાય! આજે તો જ્ઞાનના નામે અજ્ઞાનની અડાબીડ આંધળી દોટમાં લોકો દોડી જાય છે. આજે લાભ પાંચમ પણ છે. લાભ! શેનો લાભ? જીવન જો પાપોના શાપથી મુક્ત બને તો જ ખરેખરો લાભ મળ્યો કહેવાય! આવો લાભ સમ્યજ્ઞાન મેળવવાપામવા પરમાત્માની પ્રાણભરી પર્યાપાસના કરવી પડે! આજનો દિવસ એટલા માટે જ છે! માત્ર જ્ઞાનનાં દર્શન – પૂજન કરીને ઇતિશ્રી ન સમજી લેતા! આજે સમય મેળવીને જ્ઞાનભંડારો અને ઉપાશ્રયોનાં કબાટોમાં કે તમારા ઘરની આડમારીઓમાં કેદ પુસ્તકો-ગ્રંથોની ધૂળ ખંખેરજોવ્યવસ્થિત પૂઠાં વગેરે ચઢાવજો... સરખી રીતે ગોઠવજો સ્વાધ્યાય કરજો. આ પણ ઉચ્ચ પ્રકારની શ્રુતભક્તિ છે. જ્ઞાનપંચમીની આરાધના જ્ઞાનમય બનીને કરશો તો જ પાંચમ સાર્થક થશે. બાકી ખાલી ઉપવાસ કે દેવવંદન આત્માને જ્ઞાનપ્રાપ્તિ માટે તલપાપડ નહીં બનાવી શકે. વિચાર પંખી ૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154