Book Title: Vichar Pankhi
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 145
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિચારો... પોતાની જાત પાસેથી કામ લેવા માટે બુદ્ધિનો-દિમાગનો ઉપયોગ કરવો જોઈએ. પણ બીજા પાસેથી કામ લેવા માટે હૃદયનો..હૃદયમાં રહેલી લાગણીઓનો સાથ લેવો એ જ ઉચિત છે. કટુ શબ્દોના કાંટા કે અળખામણી વાતોના બાવળ તો આપણી જીભ પર જલદી ઊગી નીકળે છે...પણ મીઠા શબ્દોનાં ફૂલો તો માવજત કરીને ખીલવવાં પડે છે! ૦ ૦ ૦ બીજા કોઈનું સારું સાંભળે ત્યારે જે માણસ શંકા અને સંદેહ વ્યક્ત કરે.... અને બીજાનું ખરાબ કે બૂરું સાંભળીને જે માણસ એ માની લે... એવા માણસોથી સાવધાન રહેવા જેવું છે. જે વિચારે ઓછું તે બોલે વધુ... જે વિચારે વધારે તે બોલે થોડું... વિચારશક્તિને વધાર વચનશક્તિ આપોઆપ ખીલી ઊઠશે. ૧૩૪ વિચાર પંખી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154