Book Title: Vartaman Tirthankar Shri Simandhar Swami
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 42
________________ શ્રી સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર પ્રશ્નકર્તા : દાદા, તમે થઈ ગયેલા કહેવાય ? દાદાશ્રી : આપણે તો આ લોકોનું કલ્યાણ થાય, એ ભાવના આપણી. દાદાશ્રી : બહુ ફેર પડે, બહુ ફેર પડે, બહુ ફેર પડે. પ્રશ્નકર્તા : જરા ડિટેલમાં સમજાવોને ! દાદાશ્રી : તમે રાજાને જોયા ના હોય અને રાજાને નમસ્કાર કર્યા કરો પણ રાજાને પ્રધાને તો જોયેલા હોયને, એવાં પ્રધાનની હાજરીમાં કહો તો ફેર ના પડે ? ત્યાં ખબર આપે ને કે તમારા નામનું રટણ રટે છે. પેલાનું ફળ તો મળે જ ને ! હંમેશાં મોટાં મોટાં સંતોનું નામ લે, તે ફળ મળે. નામ દેવાય તો ફળ મળ્યા વગર રહે નહિ. જેમ ખોટા માણસનું નામ દે તો ખોટું ફળ મળે અને સારાનું.... પણ પ્રત્યક્ષ હોય તો ફળ અનેકગણું મળે અને પરોક્ષ હોય તો થોડું મળે. પ્રશ્નકર્તા: પણ હમણાં તો સીમંધર સ્વામી વિચરે છે, એમને કોઈ પણ દેરાસરમાં જઈને નમસ્કાર કરીએ, તો ડાયરેક્ટ લાઈન થઈ શકે ને ? દાદાશ્રી : ના થાય, કોણ કરનાર ? પ્રશ્નકર્તા : અંદર આત્માને, પરમાત્માને ના થાય ? દાદાશ્રી : ના. કશું ના થાય. તમે આત્મા થાવ તો થાય. આત્મા થયા ના હોય તો કેવી રીતે થાય ? આત્મા થઈ ગયા હો તો પહોંચે. દેહાધ્યાસ છૂટી ગયો હોય, એનું પહોંચે. પ્રશ્નકર્તા : અમે બધા દાદાનો રાગ જેટલો ભેગો કરીએ છીએ, તે પછી બીજા ભવમાં એ રાગ પાછો ખાલી થશે ને ? દાદાશ્રી : મારી પર રાગ છે ને એ સીમંધર સ્વામી ઉપર જ પહોંચે છે. મહાત્માઓ : જય સચ્ચિદાનંદ ! (આત્મોલ્લાસથી) પ્રશ્નકર્તા : પણ દાદા ય સીમંધર સ્વામી જેવા થશે ને ? દાદાશ્રી : એવું થઈને મારે શું કામ છે ? એ છે જ ને પછી, આપણે શું કામ છે થઈને ? એમતે નમસ્કાર કેટલી વખત ? પ્રશ્નકર્તા: અમારે દાદા ભગવાનને નમસ્કાર કેટલી વાર કરવા જેથી કરીને અમારો તાર તમારી જોડે રોજ જોડાય ? દાદાશ્રી : એ તો પછી ગણવામાં ઘણો વખત જશે. સો વખત કહીએ તો પાછો ગણ ગણ કરશે. પ્રશ્નકર્તા : તો દાદાજી, આ સીમંધર સ્વામીનું તો ગણવું જ પડે છે ચાલીસ વાર. દાદાશ્રી : એમના માટે ગણજો. દાદા તો નિરંતર રહેવા જ જોઈએ. પ્રશ્નકર્તા: નિરંતર રહેવા જોઈએ. બરોબર છે, એ રહે જ છે. દાદાશ્રી : ગણવાની સીસ્ટમ (રીત) તો આપણે ત્યાં રાખવી જ નહિ, સીમંધર સ્વામી માટે રાખવું હોય તો ચાલીસ વખત, એક-બેત્રણ-ચાર... બોલવું. દાદા ભગવાન તો અસીમ, સીમા રહિત, અનલિમિટેડ છે. અસીમ એટલે અનલિમિટેડ, અંગ્રેજીમાં. પ્રશ્નકર્તા : આપણે નમસ્કારવિધિ બોલીએ, પંચ પરમેષ્ટિ ભગવાનને, ૐ પરમેષ્ટિ, તીર્થંકર સાહેબોને, શાસન દેવદેવીઓને નમસ્કાર કરીએ, ત્યારે અંદર દ્રષ્ટિ સામે શું હોવું જોઈએ ? દાદાશ્રી : નજર સામે દાદાની મૂર્તિ હોવી જોઈએ. પ્રશ્નકર્તા: ફોટો ? દાદાશ્રી : ચિત્રપટ, ફોટો.

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81