Book Title: Vachanamrut Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાખ કરતાં વધુ રકમ તેવા પરચુરણ કાર્યોમાં ખર્ચાઈ છે, અને તે જ પ્રમાણે જાહેર કામોમાં પણ લગભગ એકલાખ રૂપીઆ કરતાં વધુ અર્પણ કરેલા છે. જાહેર કામોમાં તમારી યાદ પ્રમાણે નીચલા કામ છે. ૧. પાલીતાણા ખાતે સંવત ૧૮૫૬ ના દુષ્કાળ વખતે હજારે મનુ બોને સસ્તાભાવે અનાજ પુરૂ પાડી ત્યાંના લોકો વચ્ચે પિતાનું નામ અમર કરી ગયા છે. તેમની કીર્તિને રાસ ત્યાં હમેશ ગવાય છે અને જાત્રાળુઓ તે સાંભળી શેઠશ્રીના કાર્યને અનુદે છે. આ અવસરે તેમને આશરે રૂ. ૧૫૦૦૦) ખર્ચ થયું હતું. ૨. મુંબઈ શ્રી શાંતિનાથજીના દેરે શ્રી આદીશ્વર પ્રભુની પ્રતિમા પધરાવી તેમાં તથા હીરાને એક મુગટ કરાવ્યા તેમાં રૂ. ૨૦૦૦૦) થયા છે. ૩. મુંબઈ શ્રી શાંતિનાથજીના દેરે બે આંબીલની ઓળીઓ થાય છે, તેનાં પારણું માટે તથા જેઠ સુદ ૫ મે શ્રી સાગરસંઘનું જમણ થાય છે તેના ખર્ચ માટે શેઠશ્રીએ રૂ. ૧૩૦૦૦ ) ની રકમ આપેલી છે. ૪. સુરત મધ્યે શ્રીમન મુનિશ્રીમોહનલાલજીની ઈચ્છાનુસાર એક પુસ્તક ભંડાર સ્થાપ્યો છે, તેમાં મકાન અને પુસ્તકોમાં લગભગ રૂ. ૧૫૦૦૦) ખર્યા છે. ૫. સંબઈ મધ્યે શ્રીમન મુનિશ્રીમોહનલાલજી સ્મારક ફંડમાં શેઠ દેવકરણ મુળજી પછી રૂ. ૨૫૦૧) ની રકમ તેઓ તરફથી ભરાણું છે; જે ફંડ હાલ પિણ લાખનું થયું છે. ૬. સુરત પાસે કતાર ગામે દેરાસર અને ધર્મશાળા નવીન બંધાણ છે, જેમાં પુષ્કળ દ્રવ્ય ખર્ચાયું છે, તેમાં શેઠશ્રીને આગેવાની ભર્યો ભાગ છે, તે સાથે પ્રતિમા બેસાડવામાં, નકારસી કરવામાં રૂ. ૧૧૦૦૦ ખર્ચલ છે. ૭. સં. ૧૮૬૨ માં સુરત ખાતે એક જીવ દયા ફૂડ સ્થાપ્યું છે, જેમાં પિતે પ્રથમ રૂ. ૫૦૦૦ ) ભર્યા છે અને તે ફંડ હાલ પચાસ હજાર રૂપીઆંનું થયું છે; જેમાંથી જીવદયાનાં કાર્યો થાય છે. ૮. કતાર ગામ ખાતે દર વર્ષે કારતક સુદી ૧૫ મે ત્યાં જતા સંઘને તેઓ તરફથી ભાતું અપાય છે, જે માટે રૂ. ૫૦૦૦ ) આપેલા છે. છે. સુરત પાંજરાપોળને રૂ. ૭૦૦૦) ની રકમની જમીન બક્ષીસ કરેલી છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 390