Book Title: Updhan Tap Ek Aneri Yog Sadhna
Author(s): Kalyanbodhivijay
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 16
________________ ઉત્પત્તિ થઇ જાય છે. * માત્રાનો પ્યાલો ઢાંકણુ ઢાંકીને પરઠવવા લઇ જવો. ઉઘાડો નહીં. મર્યાદા સચવાય તે રીતે ઉચિત વેશ પરિધાન કરવો. * જ્યાં ત્યાં સ્થંડિલ-માત્રુ પરઠવવું નહી. બીજાને અપ્રીતિ થાય તેવું ન કરવું. આ આપણા નિમિત્તે ધર્મની અપભ્રાજના-લઘુતા થવી જોઇએ નહીં. કાગળ, દાણા, જીવજંતુઓ, વનસ્પતિ વિ. થી રહિત સ્થાનમાં માત્રુ પરઠવવું. દેરાસર, ઉપાશ્રય સ્થાનમાં પ્રવેશતા "નિસિહી" અને બહાર નિકળતા "આવસહિ" ત્રણવાર કહેવું. * ધુમ્મસવાળુ વાતાવરણ હોય, ઝાંકળ પડતુ હોય તો ઉપાશ્રયની બહાર નિકળવુ નહી. શૃંડિલ–માત્રુ વિ. અસાધ્ય કાર્ય આવી પડતા આખા શરીરે કાંમળી ઓઢી જયણા પૂર્વક જવું. * લાઇટમાં કઇ પણ વાંચવુ નહી. લાઇટનો ઉપયોગ કરવો નહીં. પાણી વાપર્યા બાદ ગ્લાસ રૂમાલથી એકદમ કોરો કરી લેવો, એઠો ગ્લાસ માટલામાં નાંખવો નહી. કામળીકાળમાં બહારથી આવ્યાબાદ કામળી થોડો સમય દોરી-ખીંટી વિ. ઉપર છુટી કરી રાખવી (સીધી ગડી ન કરવી). * દોરી વિ. ઉપર સુકવેલા કપડા સુકાતા તુરંત લઇ લેવા,

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36