Book Title: Updhan Tap Ek Aneri Yog Sadhna
Author(s): Kalyanbodhivijay
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 18
________________ નીતિમાં દ્રવ્યો ઘણા અને રસ ભરપૂર હોય એટલે આપણે જાતે દ્રવ્યોનો નિયમ કરી લેવો, કે આટલા દ્રવ્યથી વધારે વાપરવા નહી વિ.વિ. ભુલ થતાની સાથે જ આલોચના નોંધી લેવી. રાત્રે ૬ કલાકથી અધિક સુવુ નહી (દિવસે તો સુવાનુ છે જ નહી). પ્રતિક્રમણ વિ. તમામ ક્રિયાઓ સમુહમાં ગુસાક્ષિએ કરવી. ચરવળો મુહપત્તિ વિ. એક હાથથી દૂર જવા જોઇએ નહી. જ સવારે પ્રતિક્રમણ વિ. ક્રિયા કરી ઉંઘવુ નહી. Sો જ નિષ્કારણ શરીર દબાવવું નહી. છેજે ભાઇઓએ બધા સાધુમ.સા.ને, બહેનોએ બધા સાધ્વીજી મ.સા. ને બે ટાઇમ વંદન કરવું જોઇએ. પ્રતિક્રમણાદિ ક્રિયામાં ગુરૂ. મ. આવે તે પહેલા જ હાજર થઇ જવું. જ કોઇની પણ સાથે આપણા કે સામી વ્યક્તિના રવભાવ દોષથી સંઘર્ષ, સંકલેશ, બોલાચાલી થઇ જાય તો તુરંત જ મિચ્છામિ દુકકડમ્ દઇ દેવું. જ ચાતુર્માસિક કાળમાં બપોરે કાળનો કાજો લેવો ફરજીયાત S જ છે. જે સાંજે પાણીમાં ચૂનો નાંખવાનું ભુલવું નહી. ચુનાવાળું પાણી ૨ કલાક ચાલે, બાદ નિર્જીવ ભૂમિમાં સુકામાં ૭૨ કલાકની મર્યાદા પૂર્ણ થાય તે પૂર્વે સુકાઇ જાય તે રીતે વધારાનું પાણી જયણા પૂર્વક પરઠવવું. પરોઢીયે તમામ ક્રિયાઓ મનમા કે અત્યંત ધીમા અવાજે એ કરવી જેથી આજુબાજુના લોકોને તકલીફ ના થાય, ઉઠી ના જાય.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36