Book Title: Updesh Chhaya
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Trikamlal Mahasukhram Shah

View full book text
Previous | Next

Page 136
________________ ૧૧૮ ઉપદેશછાયા સ્વભાવે સર્વ જીવ જીવતા જ છે. જેમ શ્વાસોચ્છવાસ વિના કોઈ જીવ લેવામાં આવતો નથી, તેમ જ્ઞાનસ્વરૂપ ચિતન્ય વિના કેઈ જીવ નથી. આત્માને નિંદવો અને એ ખેદ કર કે જેથી વૈરાગ્ય આવે; સંસાર બેટો લાગે. ગમે તે મરણ પામે પણ જેની આંખમાંથી આંસુ આવે, સંસાર અસાર જાણી જન્મ, જરા, મરણ મહાભયંકર જાણે વૈરાગ્ય પામી આંસુ આવે તે ઉત્તમ છે. પિતાને છોકરો મરણ પામે ને સેવે તેમાં કોઈ વિશેષ નથી, તે તે મેહનું કારણ છે. આત્મા પુરુષાર્થ કરે તે શું ન થાય ? મોટા મોટા પર્વતેના પર્વતે છેદી નાંખ્યા છે, અને કેવા વિચાર કરી તેને રેલવેના કામમાં લીધા છે! આ તે બહારનાં કામ છે છતાં જય કર્યો છે. આત્માને વિચાર એ કંઈ બહારની વાત નથી. અજ્ઞાન છે તે માટે તે જ્ઞાન થાય. અનુભવી વૈઘ તે દવા આપે, પણ દરદી જે ગળે ઉતારે તે રોગ મટે; તેમ સદગુરુ અનુભવ કરીને જ્ઞાનરૂપી દવા આપે, પણું મુમુક્ષુ ગ્રહણ કરવારૂપ ગળે ઉતારે ત્યારે મિથ્યાત્વરૂપ રેગ ટળે. બે ઘડી પુરુષાર્થ કરે, તે કેવળજ્ઞાન થાય એમ કહ્યું છે. રેલવે આદિ ગમે તે પુરુષાર્થ કરે, તે પણ બે ઘડીમાં તૈયાર થાય નહીં તે પછી કેવળજ્ઞાન કેટલું સુલભ છે તે વિચારે કે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170