Book Title: Updesh Chhaya
Author(s): Shrimad Rajchandra,
Publisher: Trikamlal Mahasukhram Shah
View full book text
________________
ઉપદેશછાયા
૧૩૩ એારડી, માયા અને મેલને રહેવાનું ઠેકાણું છે. દેહમાં પ્રેમ રાખવાથી જીવ રખડે છે. તે દેહ અનિત્ય છે. બદલેલની ખાણ છે. તેમાં મેહ રાખવાથી જીવ ચારે ગતિમાં રઝળે છે. કેવા રઝળે છે? ઘાણીના બળદની માફક આંખે પાટે બાંધે છે તેને ચાલવાના માર્ગમાં સંકડાઈ રહેવું પડે છે, લાકડીને માર ખાય છે, ચારે બાજુ ફર્યા કરવું પડે છે; છૂટવાનું મન થાય પણુ છૂટી શકાય નહીં, ભૂખ્યા તરસ્યાનું કહેવાય નહીં; શ્વાસ નિરાંતે લેવાય નહીં; તેની પેઠે જીવ પરાધીન છે. જે સંસારમાં પ્રીતિ કરે છે તે આવા પ્રકારનું દુઃખ સહન કરે છે.
ધુમાડા જેવા લૂગડાં પહેરી તેઓ આડંબર કરે છે, પણ તે ધુમાડાની માફક નાશ પામવા ગ્ય છે. આત્માનું જ્ઞાન માયાને લઈને દબાઈ રહે છે.
જે જીવ આમેરછા રાખે છે તે નાણાને નાકના મેલની પેઠે ત્યાગે છે. માખી ગળપણમાં વળગી છે તેની પેઠે આ અભાગિયો જીવના કુટુંબના સુખમાં વળગ્યો છે.
વૃદ્ધ, જુવાન, બાળ એ સર્વ સંસારમાં બૂડયા છે, કાળના મુખમાં છે એમ ભય રાખે. તે ભય રાખીને સંસારમાં ઉદાસીન પણે રહેવું.
સે ઉપવાસ કરે, પણ જ્યાં સુધી માંહીથી ખરે. ખરા દેષ જાય નહીં ત્યાં સુધી ફળ થાય નહીં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170