Book Title: Updesh Chhaya
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Trikamlal Mahasukhram Shah

View full book text
Previous | Next

Page 167
________________ ૧૫o . શ્રીમદ્ રાજચંદ્ર ઝેરને જાણે તે ના પીએ. ઝેરને જાણીને પીએ તે તે અજ્ઞાન છે. માટે જાણીને મૂકવા માટે જાણપણું કહ્યું છે જે દઢ નિશ્ચય કરે કે ગમે તેમ કરું, ઝેર પીઉં, પર્વત પરથી પડું કુવામાં પડું, પણ કલ્યાણ થાય તે જ કરું. એનું જાણપણું સાચું. તે જ તરવાને કામી કહેવાય. - દેવતાને હીરામાણેક આદિ પરિગ્રહ વધારે છે. તેમાં અતિશય મમતા મૂછ લેવાથી ત્યાંથી ચવીને તે હીરા આદિમાં એકેદ્રિયપણે અવતરે છે. જગતનું વર્ણન કરતાં, અજ્ઞાનથી અનંતી વાર જીવ ત્યાં જન્મી આવે તે અજ્ઞાન મૂકવા માટે જ્ઞાનીએ વાણું કહી છે. પણ જગતના વર્ણનમાં જ બાઝી પડે એનું કલ્યાણ કેવી રીતે થાય ! તે તે અજાણપણું જ કહેવાય. જે જાણીને અજ્ઞાનને મૂકવાને ઉપાય કરે તે જાણપણું. ' પિતાના દેશે ટેળે એવા પ્રશ્ન કરે તે દેષ ટળવાનુ કારણ થાય. જીવમા દેષ ઘટે, ટળે તે મુક્તિ થાય. જગતની વાત જાણવી તેને શાસ્ત્રમાં મુકિત કહી પણ નિરાવરણ થાય ત્યારે મોક્ષ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170