Book Title: Updesh Chhaya
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Trikamlal Mahasukhram Shah

View full book text
Previous | Next

Page 164
________________ ઉપદેશછાયા ૧૪૭ કદાગ્રહ મૂકીને જીવ વિચારે, તે માગે તે જુદે છે. સમક્તિ સુલભ છે. પ્રત્યક્ષ છે. સહેલું છે. જીવ ગામ મૂકી આ ગયે છે તે પાછા ફરે ત્યારે ગામ આવે. સપુરુષનાં વચનનુ આસ્થાસહિત શ્રવણમનન કરે તે સમ્યક્ત્વ આવે, તે આવ્યા પછી ત્રતપશ્ચખાણ આવે ત્યાર પછી પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય. સાચું સમજાઈ તેની આસ્થા થઈ તે જ સમ્યફત્વ છે. જેને ખરાખોટાની કિંમત થઈ છે, તે ભેદ જેને મટ છે તેને સમ્યકત્વ પ્રાપ્ત થાય. અસદ્દગુરુથી સત્ સમજાય નહીં, સમકિત થશે નહિ. દયા, સત્ય, અદત્ત ન લેવું એ આદિ સદાચાર એ સત્યુ. રુષની સમીપ આવવાનાં સતસાધન છે. સત્પરુષે જે કહે છે તે સૂત્રના, સિદ્ધાંતના પરમાર્થ છે. સૂત્ર સિદ્ધાંત તે કાગળ છે. અમે અનુભવથી કહીએ છીએ, અનુભવથી શંકા મટાડવાનું કહી શકીએ છીએ. અનુભવ પ્રગટ દીવે છે, ને સૂત્ર કાગળમાં લખેલ દીવે છે. કુંઢિયાપણું કે તપાપણું કર્યા કરે તેથી સમતિ થવાનું સ્વરૂપ સમજાય, માંહીથી દશા ફરે તે સમકિત થાય. પરમાર્થમાં પ્રમાદ એટલે આત્મામાંથી બહાર વૃત્તિ તે. ઘાતિકર્મ ઘાત કરે તેને કહેવાય. પરમાણુને પક્ષપાત નથી, જે રૂપે આત્મા પરિણમાવે તે રૂપે પરિણમે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170