Book Title: Tivihen Vandami
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 15
________________ તિવિહેણ વામિ પૂર્વક પાર પાડી શકયો છું. એ માટે એમના પ્રત્યે હું હુંમેશાં ઘણા જ ઋણી રહ્યો છું. પૂજ્ય મહારાજસાહેબ સાથેના મારા પરિચય લગભગ ઢાઢ દાયકા જેટલેા હતા. એમનાં પહેલવહેલાં દશન મેં કર્યું' અમદાવાદમાં એરિએન્ટલ કૉન્ફરન્સ ભરાઈ ત્યારે. જૈન મુનિએ પણ આવી ફ્રાન્ફરન્સમાં રસ લે છે એ જાણીને ત્યારે મને આશ્ચર્ય થયેલું અને આપણા જ્ઞાનભડારા વિશે પૂ. મહારાજસાહેબે જે પ્રવચન કર્યું' તે સાંભળીને તે મારી મુગ્ધતાના પાર રહ્યો ન હતા! મારે પૂજ્ય મહારાજસાહેબના વધુ નિકટના સંપર્કમાં આવવાનું બન્યું ઈ. સ. ૧૯૫૫માં. એ વર્ષે અમદાવાદમાં સેન્ટ ઝેવિયસ કોલેજની સ્થાપના થઇ. મુંબઇની સે’ટ ઝેવિયસ કોલેજ તરફથી અમદાવાદની સેન્ટ ઝેવિયસ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે સેવા આપવા માટે, એક વ માટે મને મેકલવામાં આવ્યા હતા. સવારની કૉલેજ હતી એટલે સમય પણ ઘણા મળતા હતા. રાજ સાંજે ‘સરિત કુ’જ’ બંગલામાં પ્રજ્ઞાચક્ષુ પૂજ્ય પડિતજી શ્રી સુખલાલજી પાસે હું જતા હતા. એમને એક-બે કલાક કઇંક વાંચી સંભળાવતા હતા. તે સમયે નલ-દમય તીની કથાના વિકાસ' એ વિષય પર શેાધનિબંધ લખવાના કાર્યાંના હજુ આરંભ જ મે' કર્યાં હતા. પૂજ્ય પંડિતજી સાથે એ વિષયની વાત નીકળતાં એમણે એ માટે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના સંપ સાધવાનું અને એમનું માર્ગદર્શન મેળવવાનું સૂચન કર્યુ. એ પ્રમાણે એક દિવસ બપારે હું જૈન સેાસાયટીના ઉપાશ્રયમાં For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118