________________
તિવિહેણ વંદામિ સમાજમાં પાદરાનું ગદાન નાના ગામના પ્રમાણમાં ઘણું મોટું રહ્યું છે. છેલ્લાં પચાસ-સાઠ વર્ષમાં પાદરામાંથી પચાસથી વધુ વ્યક્તિઓએ દીક્ષા લીધી છે, એમાં પાદરાની જૈન પાઠશાળાને પણ ઠીક ઠીક ફાળો રહ્યો છે. એ જમાનામાં પાઠશાળાને વહીવટ વકીલ મેહનલાલ હીમચંદ તથા ડાહ્યાભાઈ વનમાળીદાસ કરતા.
પાદરામાં બે દેરાસર છે. નવઘરી પાસેનું શાન્તિનાથ ભગવાનનું મોટું દેરાસર અને ઝંડા બજાર પાસે આવેલું સંભવનાથ ભગવાનનું નાનું દેરાસર. ત્રિભુવન નાના દેરાસર પાસે રહેતે એટલે ત્યાં પૂજા કરવા જતે પણ પાઠશાળા ફક્ત નવઘરીમાં હતી. એટલે સાંજના નવઘરીમાં ભણવા આવતે.
પાદરાના ધાર્મિક વાતાવરણમાં વખતેવખત પધારતા સાધુ ભગવંતેની પ્રેરક અને ઉદ્દબોધક વાણીને લાભ મળવા ઉપરાંત પાઠશાળાના એક શિક્ષક શ્રી ઊજમશી માસ્તરનું
ગદાન પણ ઘણું મોટું હતું. તેઓ કાઠિયાવાડમાં આવેલા ચોટીલા ગામના વતની હતા. એમની બહેનને પાદરામાં શ્રી કેશવલાલ પ્રેમચંદ સાથે પરણાવ્યાં હતાં. એટલે ઊજમશી માસ્તરને પાદરા આવવાનું વારંવાર થતું. તેમણે મહેસાણાની પાઠશાળામાં અભ્યાસ કર્યો હતેા અને ધાર્મિક શિક્ષક તરીકે વ્યવસાયાર્થે પાદરામાં આવીને વસ્યા હતા, કારણ કે એમને પાદરાનું ધાર્મિક વાતાવરણ ગમી ગયું હતું.
તેમને આત્મા ઘણી ઊંચી કેટિને હતે. શિક્ષક તરીકેની નોકરી કરતા લેકેમાં ધર્મભાવના જગવવાની હોંશ તેમનામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org