Book Title: Tivihen Vandami
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 59
________________ - ૬ તિવિહેણ વદામિ ઘણે બધે હતે. ગમે તેટલા તેઓ કાયેલા હોય તે પણ અમે જઈએ કે તરત અમને સમય આપતા અને શુભાશિષ દર્શાવતા. વિ. સં. ૨૦૩૫માં પૂજ્ય આચાર્ય મહારાજ વઢ-વાણમાં ચાતુર્માસ કરતા હતા ત્યારે હું અને મારાં પત્ની તેમને વંદન કરવા ગયાં હતાં. અમે ઉપાશ્રયે પહોંચ્યાં કે તરત ચંદ્રસેનવિજય મહારાજે કહ્યું, “મહારાજજી તમને બહુ યાદ કરતા હતા. મહારાજજીને છ ઇંચની ધાતુની બે પ્રતિમાજી કઈક આપી ગયું છે. એક મહાવીર સ્વામીની અને બીજી ગૌતમ સ્વામીની છે. મહારાજજી કહે આ બંને પ્રતિમાજી રમણભાઈ અને તારાબહેન આવે ત્યારે એમને મારે ભેટ આપવી છે. ચંદ્રસેન મહારાજની વાત સાંભળી અમને ઘણે - હર્ષ થયે. અમે મહારાજજી પાસે ગયાં. તે દિવસે ખાસ કંઈ ભીડ નહોતી. મહારાજજી હવે ધીમે ધીમે પણ સ્પષ્ટ બેલી શકતા હતા. વાતચીત કરવામાં બહુ શ્રમ પડતો નહોતે. એ દિવસે અમારી સાથે એમણે નિરાંતે ધર્મની ઘણું વાત કરી. અમને ખૂબ આનંદ થયે. તેઓ એ દિવસે બહુ જ પ્રસન્ન હતા. મહારાજ સાહેબે બંને પ્રતિમા મંગાવી મંત્ર ભાણીને તેના ઉપર વાસક્ષેપ નાખે અને એ બે પ્રતિમાજી અમને આપી. અમારા જીવનને આ એક અત્યંત પવિત્ર, મંગલમય, અવિસ્મરણીય પ્રસંગ હતે. પૂજ્ય આચાર્ય ભગ વંત પાસે કેટલાંક વર્ષ પૂર્વે અમે આજીવન ચતુર્થવ્રતની - બ્રહ્મચર્યની બાધા લીધી હતી ત્યારથી એમને અમારા પ્રત્યે અપાર વાત્સલ્યભાવ રહ્યો હતો. પૂજ્ય મહારાજશ્રી પાસે કેટલીક લબ્ધિસિદ્ધિ હતી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118