Book Title: Tivihen Vandami
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 108
________________ પૂ. શ્રી કુંદકુંદસૂરિજી મહારાજ એમણે મને પિતાનાં લખેલાં ઘણું પુસ્તકો વાંચવા માટે ભેટ આપ્યાં હતાં. પૂ. કુંદકુંદરિજીને મળીએ ત્યારે એમની આવ્યા હેત ૧ ૧ સરળતા અને પવિત્રતાની સુવાસ આપણને ઊંડી સ્પર્શી થી જાય. એક જ્ઞાની ભગવંત કેટલા બધા પવિત્ર અને સરળ હોઈ શકે તેના ઉદાહરણરૂપ એમનું જીવન હતું. પૂ. કુંદકુંદવિજયજી, પિતાના ગુરુભગવંત પંન્યાસજી મહારાજની જેમ પદવીથી વિમુખ હતા. આડત્રીસ વર્ષને દીક્ષા પર્યાય થયે છતાં તેઓ મુનિ પદથી જ સંતુષ્ટ હતા. પરંતુ વિ. સં. ૧૯૩૬માં પાટણમાં પંન્યાસજી મહારાજ કાળધર્મ પામ્યા તે પછી સંઘના આગ્રહથી અને ગચ્છાધિપતિ ૫. શ્રી વિજ્યરામચંદ્રસૂરિજીની આજ્ઞાથી એમણે પદવી સ્વીકારી હતી. એમને વિ. સં. ૨૦૩૭માં ભગવતીસૂત્રના ગદ્ધનપૂર્વક વિજયકનચંદ્રસૂરિના હાથે ગણિ–પંન્યાસની પદવી આપવામાં આવી હતી અને વિ. સં. ૨૦૩૮ માં અમદાવાદમાં આચાર્યની પદવી આપવામાં આવી હતી. પૂ. કુંદકુંદસૂરિજીને લગભગ એકતાલીસ વર્ષને દીક્ષાપર્યાય હતે. આ દિક્ષા પર્યાયમાં એમણે વિવિધ અનુષ્ઠાને, યાત્રાઓ, છ–રી પાળતા સંઘ, ઉપધાનતપ, ગ્રંથલેખન ઇત્યાદિ દ્વારા ઘર્મની ઘણી સારી પ્રભાવના કરી હતી. એમના સાતેક શિષ્યોમાં એમના સંસારી ભત્રીજા પૂ. શ્રી વજાસેનવિજયજીને પણ સમાવેશ થાય છે. પૂ કુંદકુંદસૂરિજીએ લગભગ એંસી જેટલાં પુસ્તક લખ્યાં છે. એમાં “નમસ્કાર ચિંતામણિ', “આનંદઘન ચેવસી ભાવાર્થ”, “યશવિજ્યજી ગ્રેવીસી ભાવાર્થ”, “આરાધનાસાર, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118