Book Title: Tivihen Vandami
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 88
________________ પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ વિચક્ષણતા, વિદગ્ધતા, તેજસ્વિતા અને બુદ્ધિગ્રાહાતા જોઈને, એમના જેવી સાધ્વીને માટે જ્ઞાન સંપન્ન કરવાની વ્યવસ્થા કરવાનું પૂજ્ય વલભસૂરિજી, પૂજ્ય સમુદ્રસૂરિજી, પૂજ્ય શીલવતીશ્રીજી અને સંઘના શ્રેષ્ઠિઓએ વિચાર્યું. એ માટે અનુકૂળ સ્થળ અમદાવાદ જણાયું. પૂજ્ય મૃગાવતીજીએ અમદાવાદમાં ત્રણ વર્ષ રહી પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, પંડિત છેટેલાલ શાસ્ત્રી, પંડિત દલસુખભાઈ માલવણિયા વગેરે પાસે ભાષા, વ્યાકરણ, કેષ, આગમ ગ્રંથે અને પૂર્વાચાર્યોના અનન્ય મહાન. ગ્રંથના પરિશીલન ઉપરાંત અન્ય ધર્મોના મહત્વના ગ્રથનું પણ અધ્યયન કર્યું. આ અધ્યયનને પરિણામે મૃગાવતીજીની વિદ્યાપ્રતિભા ઘણી વિકાસ પામી. એમની એ પ્રકારની પારંગતતા જોઈને કલકત્તામાં ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય વલ્લભસૂરિજીએ એમને વ્યાખ્યાન આપવાની અનુમતિ આપી. એથી મૃગાવતીજીની વ્યાખ્યાનશક્તિ ખીલી ઊઠી. ગુજરાત બહાર, વિશેષતઃ પંજાબમાં વિચરવાનું થતાં, વ્યાખ્યાન માટે ગુજરાતી. અને હિન્દી એમ બન્ને ભાષા ઉપર એમણે પ્રભુત્વ મેળવી. લીધું. તેમનાં વ્યાખ્યાનની શ્રેતાઓ ઉપર ઊંડી અસર થતી, કારણ કે, એમની શાસ્ત્રસંગત વાણી હૃદયના ઊંડાણમાંથી પ્રગટ થતી. લગભગ બે દાયકા પહેલાં પૂજ્ય શીલવતી શ્રીજી અને પૂજ્ય મૃગાવતીશ્રીજી જ્યારે મુંબઈમાં હતાં ત્યારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ડાયરેકટર મુરબ્બી શ્રી કાન્તિલાલ કેરાએ. મને તેમને પરિચય કરાવ્યું હતું. ત્યારપછી મુંબઈમાં. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118