SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ વિચક્ષણતા, વિદગ્ધતા, તેજસ્વિતા અને બુદ્ધિગ્રાહાતા જોઈને, એમના જેવી સાધ્વીને માટે જ્ઞાન સંપન્ન કરવાની વ્યવસ્થા કરવાનું પૂજ્ય વલભસૂરિજી, પૂજ્ય સમુદ્રસૂરિજી, પૂજ્ય શીલવતીશ્રીજી અને સંઘના શ્રેષ્ઠિઓએ વિચાર્યું. એ માટે અનુકૂળ સ્થળ અમદાવાદ જણાયું. પૂજ્ય મૃગાવતીજીએ અમદાવાદમાં ત્રણ વર્ષ રહી પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, પંડિત છેટેલાલ શાસ્ત્રી, પંડિત દલસુખભાઈ માલવણિયા વગેરે પાસે ભાષા, વ્યાકરણ, કેષ, આગમ ગ્રંથે અને પૂર્વાચાર્યોના અનન્ય મહાન. ગ્રંથના પરિશીલન ઉપરાંત અન્ય ધર્મોના મહત્વના ગ્રથનું પણ અધ્યયન કર્યું. આ અધ્યયનને પરિણામે મૃગાવતીજીની વિદ્યાપ્રતિભા ઘણી વિકાસ પામી. એમની એ પ્રકારની પારંગતતા જોઈને કલકત્તામાં ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય વલ્લભસૂરિજીએ એમને વ્યાખ્યાન આપવાની અનુમતિ આપી. એથી મૃગાવતીજીની વ્યાખ્યાનશક્તિ ખીલી ઊઠી. ગુજરાત બહાર, વિશેષતઃ પંજાબમાં વિચરવાનું થતાં, વ્યાખ્યાન માટે ગુજરાતી. અને હિન્દી એમ બન્ને ભાષા ઉપર એમણે પ્રભુત્વ મેળવી. લીધું. તેમનાં વ્યાખ્યાનની શ્રેતાઓ ઉપર ઊંડી અસર થતી, કારણ કે, એમની શાસ્ત્રસંગત વાણી હૃદયના ઊંડાણમાંથી પ્રગટ થતી. લગભગ બે દાયકા પહેલાં પૂજ્ય શીલવતી શ્રીજી અને પૂજ્ય મૃગાવતીશ્રીજી જ્યારે મુંબઈમાં હતાં ત્યારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ડાયરેકટર મુરબ્બી શ્રી કાન્તિલાલ કેરાએ. મને તેમને પરિચય કરાવ્યું હતું. ત્યારપછી મુંબઈમાં. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005326
Book TitleTivihen Vandami
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy