SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ - ૬ તિવિહેણુ વંદામિ કેટલીક વાર મારે એમને મળવાનું થયું હતું. શીલવતીશ્રીજી અપાર વાત્સલ્યથી સભર હતાં એવું એમને મળતાં જ પ્રતીત થતું. એક વખત હું એમને વંદન કરવા ગયા. પછી ફરતે હતું ત્યારે તેઓ એટલું જ બોલ્યા, “ભાઈ, દાદરમાં અંધારું છે. જરા સાચવીને જજે.” એ વાક્યમાં વાત્સલ્યને એ અભૂતપૂર્વ રણકે મને સંભળાય કે આજ દિવસ સુધી એ વાક્ય હજુ કાનમાં ગૂંજ્યા કરે છે. શીલવતીજી સંવત ૨૦૨૪માં મુંબઈમાં કાળધર્મ પામ્યાં. એમણે પિતાનાં પુત્રીશિષ્યા મૃગાવતીજીને એવાં તૈયાર કર્યા હતાં કે એમનામાં એમની માતાગુરુથી પૂજ્ય શીલવતીશ્રીજીનાં દર્શન થતાં. પૂજ્ય મૃગાવતીજીએ પિતાનાં માતાગુરુણી શીલવતીજી સાથે સંવત ૨૦૨૪ સુધી એટલે કે લગભગ ત્રણ દાયકા સુધી ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં વિહાર કર્યો. ત્યાર પછી છેલલાં અઢાર વર્ષમાં તેમણે પિતાની શિષ્યાઓ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, બંગાળ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હિમાચલપ્રદેશ વગેરે સ્થળોએ લગભગ સાઠ હજાર માઈલ જેટલે પાદવિહાર કરીને સ્થળે સ્થળે ધર્મની પ્રભાવના કરી હતી. તેમણે સંવત ૨૦૭માં કલકત્તા-શાંતિનિકેતનમાં સર્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લીધે હતે. સંવત ૨૦૧૦માં પાવાપુરીમાં ભારત સેવક સમાજ તરફથી યે જાયેલી શિબિરમાં તેમણે મહત્ત્વનું કાર્ય કર્યું હતું. સંવત ૨૦૧૬માં લુધિયાણામાં જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું ૨૧મું અધિવેશન પૂજય વિજયસમુદ્રસૂરિજી ની નિશ્રામાં જોયું ત્યારે મૃગાવતીજીનાં પ્રવચનેથી પ્રેરાઈને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005326
Book TitleTivihen Vandami
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy