Book Title: Tattvagyan Dipika
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 65
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) તેનું ઉપાદાનકારણ કે કપવું પડે. ઈશ્વરને ઉપાદાનકારણ માનતાં ઈશ્વરની પણ ક્ષણિકતા (અનિત્યતા) આવી જાય છે અને તેને કર્મ લાગી શકે નહીં, કારણ કે આત્માએ કર્મ પહેલાં કર્યાં નહોતાં તો તેને પાછળથી લાગી શકે નહીં માટે એ બે પક્ષ પણ સ્વીકારી શકાય નહીં. શ્રી સર્વશ વીરપ્રભુની વાણું પ્રમાણે બન્ને અનાદિકાળથી છે એમ શ્રદ્ધા ધારણ કરવી. પ્રશ્નકર્મનું યથાર્થ સ્વરૂપ ક્યા દર્શનમાં વિશેષ ખુલાસાથી વર્ણવ્યું છે? ઉત્તર–જૈનદર્શનમાં કર્મનું સ્વરૂપ જેવું વિશેષ વિસ્તારથી ખુલાસાપૂર્વક બતાવવામાં આવ્યું છે તેવું અન્યદર્શનમાં જણાતું નથી. જેઓ જૈનદર્શનના કર્મસંબંધીના ગ્રન્થને વિલેકે છે અને તેને ગુરૂગમપૂર્વક અભ્યાસ કરે છે તેઓને આ ઉત્તર બાબતને પરિપૂર્ણ નિશ્ચય થશે. પ્રશ્ન–જેને, પિતાના કર્મમાં લખ્યું હશે તેમ થશે એમ કેટલાકેને ઉપદેશ સાંભળી આળસુ બની ગયા છે. ધર્મનાં કાર્યોમાં ઉત્સાહ ધારણ કરતા નથી. અમુક કહે કે તમે સાધુ થશે ત્યારે સામે મનુષ્ય કહે છે કે જે કર્મને ઉદય. આમ ઘણી ખરી બાબતોમાં કર્મને ઉદય કહી કહીને જૈનો ઢીલાઢપ પડી ગયા દેખાય છે, એમ અન્યદર્શનવાળાઓ કહે છે તે શું તેઓનું કહેવું સત્ય છે? ઉત્તર–જે એમ માનતા હોય તેઓને માટે તેઓનું કહેવું કદાપિ સત્ય હોઈ શકે, પણ સકળ જૈને માટે નહીં. જૈને, કાલ–સ્વભાવ-નિયતિ, કર્મઅને ઉદ્યમ-એ પાંચ કારણથી કાર્યની સિદ્ધિ માને છે. એકલા કર્મથી કાર્યની સિદ્ધિ માનતા નથી. તેથી ખરા જૈનને માથે ઢીલા તથા આલસુપણાનું દૂષણું ઘટતું નથી. ઉદ્યમ કહે કે આત્માની શક્તિ કહો તેના વિના કર્મ બંધાતાં નથી. અશુભ ઉદ્યમથી કર્મ કર્તા પણ આત્મા છે અને શુદ્ધ ઉદ્યમથી કર્મને હર્તા પણ આમા છે-આ ભવમાં જે જે કર્મોના ઉદયથી સુખ દુઃખ આપણે ભેગવીએ છીએ તે પૂર્વભવકૃત શુભાશુભ ઉધમનું ફળ છે. આ ઉપરથી સિદ્ધ થયું કે-કર્મ કર્તા (જનક) ઉદ્યમ છે. સારાં ખોટાં કર્મ બાંધવાં એ આપણુ આત્માના હાથમાં છે. શુભ ધર્મોદ્યમથી સારાં કર્મ બાંધીએ છીએ અને પાદ્યમથી પાપકર્મ બાંધીએ છીએ, માટે ઉદ્યમની આવશ્યકતા જનધર્મ, પ્રથમ નંબરે સ્વીકારે છે. કર્મને ઉદય બળવાન હોય અને ઉદ્યમ અલ્પ હોય તો કર્મની બળવતા રહે છે. ઉદ્યમની વિશેષતા હોય તે કર્મના કેઈ જાતના ઉદયને જીતી શકાય છે. પૂર્વભવમાં જે ચીકણું નિકાચિત ભેગાવલી કર્મ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128