Book Title: Tattvagyan Dipika
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 103
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૮ ) પ્રશ્ન-શ્રાવક અને શ્રાવિકા વર્ગની ઉન્નતિ કેવી રીતે થઈ શકે ? - ઉત્તર–જૈનશાસ્ત્રોને સારી રીતે અભ્યાસ કરે. જૈનધર્મની અત્યંત શ્રદ્ધા ધારણ કરી શ્રાવકના સગુણેને મેળવે, પ્રમાણિકપણે તે ન્યાયથી વ્યાપાર આદિ કરવા વ્યાવહારિક વિદ્યાઓનું જમાનાને અનુસરી જ્ઞાન કરે, કાયિક, વાચિક અને માનસિક શક્તિને ખીલવે, પરસ્પર એક બીજાને મારા બંધુ, બેન સમજી સહાય કરે તે અલ્પકાળમાં શ્રાવક વર્ગની ઉન્નતિ થઈ શકે. એમ જૈન શ્રાવક વર્ગ તરફથી કેન્ફરન્સ વગેરેમાં પણ વારંવાર કહેવામાં આવે છે. શારીરિક ઉન્નતિનાં શાસ્ત્રો કહે છે કે - ગૃહસ્થે શારીરિક બળ વધે એવી નિયમ પ્રમાણે કસરત કરવી. જે વર્ગ બાળલગ્નાદિ દુષ્ટ રીવાજને જલાંજલિ આપે છે તે મનુષ્યવર્ગ શારીરિક બળના લીધે અન્ય શક્તિોને પણ સત્વર ખીલવી અન્ય દેશો કરતાં આગળ વધે છે. તેમજ અન્ય ઘણી શક્તિ પ્રાપ્ત કરે છે એમ શારીરિક બળવર્ધક અનુભવીઓ તથા વૈદ્યક શાસ્ત્રો પણ જણાવે છે. ગૃહસ્થાવાસ યોગ્ય એવું બ્રહ્મચર્ય ધારણ કરી જે કામની વાસનાઓને જીતે છે તે વર્ગ પણ સર્વ વર્ગમાં આગળ વધે છે, ઈંગ્લાંડ, જર્મની, અમેરિકા, કાન, જાપાન, વગેરે દેશના મનુષ્યના દાખલા મેજુદ છે. શ્રી મહાવીર સ્વામીના પિતા શ્રી સિદ્ધાર્થ રાજા દરરોજ કસરત ઘણું પ્રકારની કરતા હતા અને પ્રભુ પ્રતિમાની પૂજા કરતા હતા. કલ્પસૂત્રમાં તેઓ શ્રાવક તરીકે જે જે કાર્ય કરતા હતા તે જણાવ્યું છે. શ્રાવકવર્ગ ધર્મ, અર્થ, કામ, અને મેક્ષ એ ચાર વર્ગનું સેવન કરે છે, વ્યવહાર અને નિશ્ચયનયથી શ્રાવક ધર્મનું ગ્યતા પ્રમાણે આરાધના કરે છે. જૈન ગુરૂફલે, જૈન બેડીંગ, વગેરે સ્થાપી શ્રાવક પુત્રો તથા શ્રાવક પુત્રીઓને ધાર્મિક કેળવણું તથા વ્યાવહારિક કેળવણમાં સહાય આપવાથી ગૃહસ્થ જૈનવર્ગની ઉન્નતિ થઈ શકે છે. જિનમન્દિર વગેરેથી જૈનધર્મની સમ્યક ઉન્નતિ થાય છે. અન્ય ધર્મવાળા આર્યસમાજીઓ, પ્રીતિ વગેરે પિતાની ઉન્નતિના ઉપાયમાં આ ભભેગ આપી યાહેમ કરી પ્રવૃત્તિ કરે છે, અસલના વતની જેને પણ હવે યાહોમ કરી સંપ વધારી સ્વાર્થબુદ્ધિ ત્યાગી યહોમ કરી પ્રવૃત્તિ કરશે તો જૈનવર્ગની ઉન્નતિ કરી શકશે એમાં શું આશ્ચર્ય! અન્ય કેમેમાં ઘણું મનુષ્ય ગુરૂકૂળે વગેરેમાં પેટપૂરતો જ પગાર લેઈ, હજાર રૂપૈયા ૫ગારના માસિક મળતા હોય તેનો ત્યાગ કરી પોતાની કામના ઉદયને માટે આત્મભેગ આપે છે. તેવા પરમાથી મનુષ્યના ઘણા દાખલા પ્રત્યક્ષ જોવામાં આવે છે. જૈન કેમમાં હજી એવા યાહેમ કરી આત્મભેગ આપી ધર્મનાં કાર્ય કરનારા ગૃહસ્થ જૈને ગુરૂકૂળ વગેરેને ચલાવનાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128