________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રાહ્મી લિપિમાં આદિનાથ વંદના
કિરીટ કે. શાહ
બ્રાહ્મી લિપિના કાર્ય અંગે મારું મંતવ્ય અને કર્તવ્ય : બ્રાહ્મી લિપિમાં લખાયેલું સાહિત્ય શિલાલેખો સિવાય હાલ ઉપલબ્ધ નથી. તેમજ બ્રાહ્મીમાં સાહિત્ય તૈયાર કરવાનું બહુ મુશ્કેલ પણ નથી લાગતું તેમ છતાં તાડપત્રીય કે કાગળ ઉપર બ્રાહ્મી લિપિમાં સાહિત્ય કેમ ઉપલબ્ધ નથી તે જાણવું મુશ્કેલ થઈ પડ્યું છે.
તિબેટીયન ભોટ ભાષાની લિપિના મૂળાક્ષરોનો ચાર્ટ અને બ્રાહ્મી લિપિના મૂળાક્ષરોવાળો ચાર્ટ મને વિદ્વદ્વર્ય પરમ પૂજ્ય મુનિરાજશ્રી જંબૂવિજયજી મ.સા. તરફથી ઘણા વર્ષો પહેલા મળેલ. બ્રાહ્મી લિપિમાં મૂળાક્ષરોની સાથે કાના, માત્રા, હ્રસ્વ દીર્ઘ ચિન્હો પણ સરળ છે જે ચાર્ટ જોતા જણાયેલ.
બ્રાહ્મી એ ભાષા નથી પણ લિપિ છે માટે આપણે થોડા નિષ્ઠાપૂર્વકના પ્રયત્નથી કોઈ પણ ભાષાની લિપિના સ્થાને બ્રાહ્મી લિપિનો ઉપયોગ કરી શકીએ, દા.ત. ગુજરાતીલિપિમાં લખેલ ‘ભગવાન’ શબ્દને બ્રાહ્મીમાં ઠં એમ લખી શકાય છે. દેવનાગરી લિપિમાં લખેલ ‘દેશના મુન્નર' શબ્દને બ્રાહ્મીમાં rlfk આ રીતે લખી શકીએ.
બ્રાહ્મી મૂળાક્ષરોની આગળ-પાછળ-ઉપર-નીચે હ્રસ્વ, દીર્ઘ, કાનો, માત્રા, અનુસ્વાર લખવાથી સંપૂર્ણ લખાણ તૈયાર થઈ શકે છે.
એક વિદ્યાર્થી તરીકે મેં બ્રાહ્મી લિપિના મૂળાક્ષરોનો અભ્યાસ કર્યો. બહુ સરળ લાગતી પ્રાકૃત ભાષાની દેવનાગરી લિપિમાં છપાયેલ કૃતિને બ્રાહ્મી લિપિમાં આલેખવાનો પ્રયત્ન કર્યો.
બ્રાહ્મી જાણકાર બહુ જ ઓછી વ્યક્તિઓ છે, મેં કાગળ ઉપર હાથથી લખેલ લખાણ કેટલું શુદ્ધ છે તે જાણવા માટે કઈ વ્યક્તિને બતાવું? મારી અશુદ્ધિઓ હોય તે શુદ્ધ કરી આપનાર વિદ્વાનની સહાયથી મારા કાર્યને આગળ ધપાવવા પ્રયત્નો છેલ્લા એક વર્ષથી સતત કરતો રહ્યો પણ લિપિવિશેષજ્ઞ મળવા મુશ્કેલ થયા. અનેક વ્યક્તિઓને પૂછતાછ કરતા કોઈ સંતોષકારક સહયોગ ન સાંપડ્યો. બ્રાહ્મી લિપિમાં કામ કરવાની ધગશને કારણે મને અચાનક આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા તરફથી પ્રકાશિત થતા માસિક “શ્રુતસાગર”માં બ્રાહ્મી લિપિના મૂળાક્ષર અને બારાક્ષરીનો ચાર્ટ જોવા મળ્યો તેનો આધાર લઈ મેં મારું વિદ્યાભ્યાસનું કાર્ય આગળ ધપાવ્યું.
For Private and Personal Use Only