Book Title: Shrutsagar 2016 10 Volume 03 05
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 31 श्रुतसागर अक्टूबर-२०१६ પહેલાં ગૂષે ઉલ્ અકરાન્ શાંતિદાસ ઝવેરીના દેરાસરની બાબતમાં ઉત્ ઉભુલ્ક શાયસ્તખાનના નામ પર ફરમાન નીકળ્યું હતું કે શાહજાદા સુલ્તાન ઔરંગઝેબ બહાદૂરે ત્યાં થોડા મેહરાબ (કમાનો) બનાવી તેને મસ્જિદનું નામ આપેલું, અને ત્યારબાદ મુલ્લા અબ્દુલ હકામે અરજ કરી જણાવ્યું કે એ મકાન પર બીજો માણસ પોતાનો હક હોવાનો દાવો કરે છે, તેથી આપણઆ પાક ધર્મ મુજબ એ મસ્જિદ ગણાય નહિ. આ ઉપરથી બાદશાહી હુકમ નીકળ્યો હતો કે એ મકાન સતિદાસ (શાંતિદાસ) ની મીલ્કત જોડે તાલુકો (સંબંધ) ધરાવે છે અને નામદાર શાહજાદાએ મહેરાબની શિકલવાળા મકાનનો ત્યાં પાયો નાખ્યો છે, તેથી તેને કોઈ રીતે હરકત થવી જોઈએ નહિ, તેથી એ મેહરાબને ત્યાંથી ખસેડી નાખવો અને મજકૂર મકાન તેને હવાલે કરી દેવું, હવે આ બાબતમાં આખી દુનિયા જેને તાબે છે એવા બાદશાહનો એવો હુકમ નીકળ્યો છે કે ઉંચા દરજ્જાના નામદાર શાહજાદાએ જે મેહરાબ બનાવ્યો છે તે કાયમ રાખવો અને દેરાસર અને મેહરાબની વચમાં મેહરાબની પાસેથી એક દિવાલ ચણી લેવી કે જેથી એ બે વચ્ચે એક પડદો થાય. એટલા માટે હુકમ કરવામાં આવે છે કે ઉંચા દરજ્જાના બાદશાહના બંદાઓએ જ્યારે મજકુર સતિદાસ (શાંતિદાસ)ને એ દેરાસર મહેરબાનીની રાહે બક્ષિસ જ આપ્યું છે, ત્યારે આગળની રીત મુજબ તે તેનો કબજો લઇ લે, અને પોતાના ધરમ મુજબ જેમ ચાહે તેમ તેમાં પૂજા કરે અને કોઈ પણ માણસ તેમાં તેને હરકત કે અટકાવ કરી શકે નહિ. અને વળી કેટલાએક ફકીરો જેઓ ત્યાં મુકામ કરી પડ્યા છે! તેમને ત્યાંથી ખસેડી સતિદાસને તેમના તરફથી થતી અડચણ તથા તેમના તરફથી ઊભા થતા કજીઆમાંથી મુક્ત કરવો, અને વળી હમને એવું પણ જણાવવામાં આવ્યું છે કે બાવરી જાતના કેટલાક માણસોએ દેરાસરની ઈમારતનો મસાલો ઉપાડી લૂંટી ગયા છે. તો ગમે તે પ્રકારે પણ એ મસાલો પાછો મેળવી મજકૂર શક્સને આપવો, અને જો તે લોકોએ તે વાપરી નાખ્યો હોય તો તેમની પાસેથી તહેની કીંમત લઇને સતિદાસને આપવી. આ બાબત આ બાદશાહી ફરમાન છે એમ ગણી તેનાથી વિરુદ્ધ યા ઊલટું કોઈએ ચાલવું નહિ. લખું તારીખ ૨૧ મહીનો જમાદી ઉલ્લાની સને (હી) ૧૦૮૧ મથાળે મહોર સીક્કો શાહજહાનના પુત્ર મહમદ દારા શકુહનો છે. - શ્રી જૈન સત્યપ્રકાશ ઈ.સન ૧૯૪૩ વર્ષ-૯ અંક-૨માંથી સાભાર (વધુ આવતા અંકે) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36