Book Title: Shripal Raja no Ras
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Prakashan Gruh

View full book text
Previous | Next

Page 293
________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. પ. શ્રીસાધુપદ-સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યકૂચારિત્રરૂપ મેક્ષ માર્ગનું સાધન કરે તે સાધુ કહેવાય છે. મુનિ, ઋષિ, તપસ્વી, અણગાર, સર્વવિરતિ એ બધા સાધુ શબ્દના પર્યાયવાચક નામ છે. પંચ મહાવ્રતોનું પાલન તથા છઠ્ઠા વિભાજનને ત્યાગ, એ મુનિના મહાવ્રત છે. સાધુના સત્તાવીશ ગુણો તથા ચરણસિત્તરિ અને કરણસિત્તરિના ગુણ પ્રાપ્ત કરવાને તેઓ સદા ઉદ્યમવન્ત હોય છે. ફકત ચારિત્રારાધન માટે બેંતાલીશ દેષ રહિત આહાર ગ્રહણ કરનાર છે, એવા જિનાજ્ઞાપાલક સાધુ મહારાજની ભક્તિ કરવાથી એ પદનું આરાધન થઈ શકે છે. દ. શ્રદર્શનપદ–શ્રીસર્વજ્ઞકથિત જીવાજીવાદિ નવ તનું તથા શુદ્ધદેવ, ગુરુ અને ધર્મ ત્રણ તત્ત્વનું શ્રદ્ધાન તે સમ્યક્ત્વ ૧. અઢાર દૂષણથી રહિત વીતરાગ પરમાત્માને દેવ તરીકે–૨. પંચ મહાવતે ધારણ કરનાર, કંચન કામિનીના ત્યાગી અને શ્રીજિનાજ્ઞાનુસાર સંયમ માર્ગમાં યથાશકિત વીર્ય ફેરવનારને ગુરુ તરીકે તથા, ૩. શ્રીવીતરાગ કથિત દયામય ધર્મને ધર્મ તરીકે-માની, સમતિના સડસડ ભેદનું સ્વરૂપ સમજી, મિથ્યાત્વનો ત્યાગ કરી સમ્યક્ત્વ અંગિકાર કરવું તથા તેનું શુદ્ધ રીતે પાલન કરવું, ઇત્યાદિથી આ પદનું આરાધન થઈ શકે છે. સમ્યકત્વ સહિત ત્રત અને અનુષ્ઠાન આત્માને હિતકર્તા થાય છે. આ પદ મિક્ષપદ પ્રાપ્તિમાં બીજરૂપ છે, એટલું જ નહિ પરંતુ સમ્યકત્વ પ્રાપ્ત કરનારને સંસારભ્રમણ—કાળ મર્યાદિત થઈ જાય છે, એટલે કે વધારેમાં વધારે અર્ધ પુગલ પરાવર્તન કાળમાં તે ચોક્કસ મોક્ષ પ્રાપ્ત કરે છે. ૭. શ્રી જ્ઞાનપદ–સર્વજ્ઞપ્રણીત આગમમાં વર્ણવેલાં તત્ત્વોનો જે શુદ્ધ અવધ, તે સમ્યજ્ઞાન કહેવાય છે. એ જ્ઞાનની પ્રાપ્તિ માટે ભવ્યજને એ જ્ઞાનાચારના નિરતિચારપણે પાલનપૂર્વક જ્ઞાન ભણવું, ભણાવવું, જ્ઞાન લખાવવું, જ્ઞાનની પૂજા કરવી. એકંદર જેથી જ્ઞાનાવરણીયકર્મ નાશ પામે, એવી કોઈ પણ ગ્ય પ્રવૃત્તિ કરવી. સાન અને જ્ઞાનીની ભક્તિ કરવી. ઈત્યાદિથી એ પદનું આરાધન થઈ શકે છે. ૮. શ્રીચારિવપદ–ચારિત્ર સમ્યગૃજ્ઞાનનું ફળ છે. સંસારરૂપી ભયંકર સમુદ્રને નિર્વિદને તરી જવાને ચારિત્ર એ પ્રવહણ-વહાણ સમાન છે, જેના પ્રભાવથી રંક છે પણ દ્વાદશાંગીરૂપ શ્રત ભણીને સમૃદ્ધિવાન બને છે. પાપી જીવોને પણ નિષ્પાપ થવાનું પ્રબળ સાધન છે. છ ખંડની બદ્ધિના ભકતા ચકવર્તિઓ પણ જેને અંગિકાર કરે છે; તેવા આઠ કર્મને નિર્મૂળ કરવાને અત્યન્ત સમર્થ ચારિત્રપદની આરાધના તેના શુદ્ધ પાલન-આસેવનથી થઈ શકે છે. ગૃહસ્થ દેશવિરતિ ચારિત્રની આરાધના કરી શકે છે, બાર માસના ચારિત્રપર્યાયવાળા સાધુ અનુત્તર વિમાનવાસી દેનાં સુખથી પણ અધિક સુખ વેદી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388