Book Title: Shrenik Bimbisara Gyanpanchami
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
શ્રેણિક બિંબિસાર
. . . . . . નામની ધૂળ જે લાવી આપશે, એને ભારે દામ મળશે. કુમાર બિંબિસાર કે જેણે પોતાનું નામ ગોપાળ રાખ્યું હતું, એણે કહ્યું “અરે, જોઈએ તેટલી તેજંતુરી લાવી આપીશ.'
તેજંતુરીમાંથી તો સોનું શોધાય. ધનદત્ત શેઠ કહે, “અરે, આપણી પાસે એ ક્યાંથી હોય ? અને આ તો રાજાનાં કામ. હાની ના ન થાય. વાતવાતમાં ખેલ બગડી જાય.' શેઠ ભારે ચિંતામાં પડ્યા. ગોપાળ કહે, “શેઠ, મૂંઝાશો મા ! હું દેશપરદેશ ફર્યો છું. તેજંતુરી કેવી હોય એની મને પરીક્ષા છે. આપણી ખૂણાની વખારોમાં જે ધૂળ પડી છે, એ ધૂળ નથી, પણ તેજંતુરી છે.'
ધનદત્ત શેઠ ખુશ ખુશ થઈ ગયા. રાજાએ પણ બંનેનાં ઘણાં માન-સન્માન કર્યા.
શેઠને ચંદાની બીજની જોડ જેવી એક પુત્રી, નામે સુનંદા. શેઠને સંતાનમાં આ પુત્રી સિવાય કંઈ નહોતું. સુનંદામાં પણ નામ તેવા ગુણ. શેઠને લાગ્યું કે ગોપાળ સાથે પોતાની સુનંદાને પરણાવીએ તો સુંદર જોડી જામે.
એક દિવસ ધામધૂમથી બંનેનાં લગ્ન થયાં. સુખમાં દિવસો વીતવા લાગ્યા. ત્યાં એક દિવસ શોધતો શોધતો મગધના રાજાનો સંદેશો લઈને સાંઢણીસવાર આવ્યો. રાજા મરણપથારીએ પડ્યા હતા. કુમાર બિંબિસારને ઝંખતા હતા, અરે, મગધની મારી ગાદીને એના સિવાય કોણ સાચવશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36