Book Title: Shrenik Bimbisara Gyanpanchami
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 33
________________ જ્ઞાનપંચમી - - - - - - આત્માનો અને વિશ્વનો સંપૂર્ણ સાક્ષાત્કાર થાય. જ્ઞાનની આરાધનાનું આ તપ વિધિ સહિત જે આચરશે તેના અંતરમાં જ્ઞાનદીપકનાં અજવાળાં પથરાઈ જશે. સાંભળો ત્યારે એનો વિધિ : કારતક સુદિ પાંચમ એ એ તપના આરાધનની મોટી પંચમી ! એનું નામ જ્ઞાનપંચમીનું મહાપર્વ. લોકો એને સૌભાગ્યપંચમી પણ કહે છે. એના આરાધનથી આત્મા સાચો સૌભાગ્યશાળી બને છે. એ પાંચથી આ તપનો આરંભ કરવો. દર અજવાળી પાંચમે એક ટંક જમીને એકાસણ કરવું વધારે શક્તિ હોય તો સાવ લૂખું અને નીરસ ભોજન એક વખત જમીને આયંબિત કરવું; અને એથીય વધારે શક્તિ પહોંચતી હોય તો ભોજનનો સદંતર ત્યાગ કરીને ઉપવાસ કરવો. ઉપવાસ થઈ શકે તો એ સર્વથી ઉત્તમ. એ રીતે પાંચ વરસ અને પાંચ માસ લગી અખંડપણે આ તપ આરાધન કરવું. દર મહિને ન થઈ શકે તો જિંદગી પર્યત દર વર્ષે જ્ઞાનપંચમીના પર્વ દિવસે આ તપનું આરાધન અવશ્ય કરવું. તપના દિવસે બન્ને વખત પ્રતિક્રમણ કરવું, દેવવંદન કરવું અને ભાવભક્તિપૂર્વક પ્રભુની પૂજા કરવી. અંતરમાં જ્ઞાનદીપકનું આવાહન કરવા ‘ૐ હ્રીં નમો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36