Book Title: Shrenik Bimbisara Gyanpanchami
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 16
________________ ૧૪ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૫ મરીને પણ સુખ છે. કાલસૌરિક કસાઈને તેણે ન જીવો - ન મરોનો આશીર્વાદ દીધો તે તેને યોગ્ય છે; એને અહીં પણ દુઃખ છે, ને ત્યાં પણ છે. ને તને જે ઘણું જીવો કહ્યું, તેનું કારણ આ ભવમાં તો તને સુખ છે, પણ મર્યા પછી આવતે ભવે તારી નરકગતિ છે. “શું હું નરકેશ્વરી છું ?' હા, રાજનું ! પણ તેથી મૂંઝાવાની જરૂર નથી. તું નરકેસરી પણ છે. તારી શ્રદ્ધા તને ત્રીજા ભવે તીર્થકર બનાવશે.' પ્રભુ, તમારા જેવાનું શિષ્યપદ પામીને પણ મારે નરકગતિ ભોગવવી પડશે?” મગધરાજ, કરેલાં કર્મ અવશ્ય ભોગવવાં પડે છે. પુરુષાર્થ કર. કર્મકાળને તોડી નાખ. એ વિના કંઈ પણ ફેરફાર ન થઈ શકે ? અવશ્ય થઈ શકે, જો તારી કપિલા દાસી પોતાને સગે હાથે દાન દે, ને આ કાલસૌરિક કસાઈ એક દિવસ હત્યા બંધ કરે તો.” મગધરાજ કહે, “અરે, એમાં તે શી મોટી વાત. જાઓ, રાજભંડાર ખુલ્લા મૂકી ને કપિલા દાસીને હાથે અન્ન વહેંચાવો.” ભંડાર છૂટા મૂક્યા. બીજી આજ્ઞા છૂટી ! “અરે, પેલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36