Book Title: Shastramaryada
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ શાસમર્યાદા [ ૧૫ વસ્તુ સમજાવવી હોય તો એમ કહી શકાય કે મ`ત્રવેદ્ના બ્રાહ્મણભાગ અને જૈમિનીયની મીમાંસા એ પ્રથમ પ્રકારના રક્ષકા છે, અને ઉપનિષદો, જૈન આગમા, ઔદ્ધ પિટકા, ગીતા, સ્મૃતિ, અને ખીજા તેવા ગ્રંથે! એ બીજા. પ્રકારના રક્ષકા છે; કારણ કે, બ્રાહ્મણુગ્રંથોને અને પૂર્વમીમાંસાને મત્રવેદમાં ચાલી આવતી ભાવનાઓની વ્યવસ્થા જ કરવાની છે, તેના પ્રામાણ્યને વધારે મજ બૂત કરી લોકાની તે ઉપરની શ્રદ્દાને સાચવવાની જ છે. કાઈ પણ રીતે મંત્રવેદનું પ્રામાણ્ય સચવાઈ રહે એ એક જ ચિંતા ભ્રાહ્મણકારો અને મીમાંસકાની છે. તે કટ્ટર રક્ષાને મવેદમાં ઉમેરવા જેવું કાંઈ જ દેખાતું નથી; ઊલટુ, ઉમેરવાને વિચારી જ તેમને ગભરાવી મૂકે છે. જ્યારે ઉપનિષદકા રે, આગમકારા, પિટકકારા વગેરે મંત્રવેદમાંથી મળેલા વારસાને પ્રમાર્જન કરવા જેવા, ઉમેરવા જેવા અને વિકસાવવા જેવા લેખે છે. આવી સ્થિતિમાં એક જ વારસાને મેળવનાર જુદા જુદા સમયના અને સમસમયના પ્રકૃતિભેદવાળા માણસોમાં પક્ષાપક્ષી પડી જાય છે, અને કિલ્લેબંધી ઊભી થાય છે. નવા અને જૂના વચ્ચે કુન્દ્ર ઉપરની કિલ્લેબંધીમાંથી સંપ્રદાય જન્મે છે અને એકબીજા વચ્ચે વિચારના સંધર્ષ ખૂબ જામે છે. દેખીતી રીતે એ સંધ અનથ કારી લાગે છે, પણ એ સંબને પરિણામે જ સત્યને આવિર્ભાવ આગળ વધે છે. ક્રાઈ પુષ્ટ વિચારક કે સમર્થ સ્રષ્ટા એ જ સંધમાં જન્મ લે છે, અને તે. ચાલ્યાં આવતાં શાસ્ત્રીય સત્યામાં અને શાસ્ત્રીય ભાવનાઓમાં નવું પગલું ભરે છે. આ નવું પગલું પહેલાં તો લોકાને ચમકાવી મૂકે છે, અને બધા જ લાકે કે લોકાના મોટા ભાગ રૂઢ અને શ્રદ્ધાસ્પદ રાો તેમ જ ભાવનાના હથિયાર વડે એ નવા વિચારક કે સર્જ કનું માથુ ફાડવા તૈયાર થાય છે. એક બાજુએ. વિરાધીઓની પલટણ અને બીજી બાજુ નવે આગન્તુક એકલો. વિરાધીઓ એને કહે છે કે તું જે કહેવા માગે છે, જે વિચાર દર્શાવે છે તે આ જૂના ઈશ્વરીય શાસ્ત્રોમાં કયાં છે? ' વળી તે બિચારા કહે છે કે ' જૂનાં ઈશ્વરીય શાસ્ત્રોના શબ્દો તો ઊલટું તારા નવા વિચારની વિરુદ્ધ જ જાય છે.’ આ બિચારા શ્રદ્વાળુ હતાં એક આંખવાળા વિરાધીઓને પેલા આગતુક કે વિચારક સ્રષ્ટા તેમના જ સંકુચિત શબ્દોમાંથી પોતાની વિચારણા અને ભાવના કાઢી ભુતાવે છે. આ રીતે નવા વિચારક અને ભ્રષ્ટા દ્વારા એક વખતના જૂના શબ્દો અદૃષ્ટિએ વિકસે છે અને નવી વિચારણા અને ભાવનાને નવા થર આવે છે અને વળી એ ના થર વખત જતાં જૂના ( K Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15