Book Title: Shashwat Giri Mahima Author(s): Rushabhdas Kavi, Narvahansuri Publisher: Padarth Darshan Trust View full book textPage 8
________________ - શાશ્વત ગિરિ મહિમા : કરણીની પુષ્ટિ થાય છે, મળેલ લક્ષ્મીનો સવ્યય થાય છે, શાસનની શોભા વધે છે, જેનેતરો પણ જૈનધર્મની અનુમોદના કરે છે અને પોતાનો આત્મા અભસંસારી બની મુક્તિપુરીમાં પહોંચી જાય છે. કહ્યું છે કે- “શ્રાવક સમુદાયમાં વ્રતધારી શ્રાવક વડીલ તરીકે માન્ય કરવા યોગ્ય છે; પરંતુ તે વ્રતધારી શ્રાવકથી પંચમહાવ્રતધારી મુનિરાજ શ્રેષ્ઠ ગણાય છે, અને તે મુનિરાજથી આચાર્ય મહારાજ શ્રેષ્ઠ ગણાય છે. કે જેમના પગમાં પડી મુનિવરો નમસ્કાર કરે છે. તે આચાર્ય મહારાજથી અરિહંત ભગવાન શ્રેષ્ઠ ગણાય છે કે જેમનું ધ્યાન અહોનિશ આચાર્યો કર્યા જ કરે છે, પરંતુ તે અરિહંત ભગવાન પણ સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે છે. એવા સિદ્ધ ભગવંતને જે પુરૂષ સંઘવીપદ પ્રાપ્ત કરી તીર્થયાત્રાનો મહાન લાભ મેળવે છે તેના ગુણ હમેશાં બહુ જ ગમે છે, તેથી ટુંકામાં કહીએ તો જો પુન્યની રાશી એકઠી થઇ હોય તો જ સંઘ કાઢી સિદ્વાચળની યાત્રાનો મહાન લ્હાવો લઇ શકાય છે, કેમકે અન્ય તીર્થની છ મહિના પર્યાપાસના કરીને જે કાર્ય સાધી શકાય અને જે લાભ મેળવી શકાય તે લાભ ક્ષણ માત્રમાં પરિણામની વિશુદ્ધતાથી શ્રી સિદ્ધગિરિની છાયામાં ધ્યાન ધરતાં મેળવી શકાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60