Book Title: Shashwat Giri Mahima
Author(s): Rushabhdas Kavi, Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 33
________________ -: શાશ્વત ગિરિ મહિમા : સાથે અને ગૌતમગણધરને શ્રી વીરપ્રભુની સાથે લાગ્યો હતો તેમ સંપૂર્ણ જામ્યો હતો. એ ભક્તિ-રાગથી તેમણે “ શ્રી ઋષભપંચાશિકા” ઉત્તમ ભાવવાહી શબ્દોમાં રચેલી છે, માટે તે ધનપાળ કવિ તો મહાન પુરૂષની પંક્તિમાં પંકાઇ ગયા છે અને તેમની રચેલી “ૠષભપંચાશિકા” શ્રી ઋષભદેવ સન્મુખ કહેતાં ભક્તિભાવની વિશેષ જાગૃતિ થાય તેમ છે.” જ કુમારપાળ ભૂપાળ અને સર્વ શ્રોતાવર્ગ શ્રી હેમસૂરિ મહારાજની આટલી બધી લઘુતા જોઇ પ્રશંસા કરવા લાગ્યા અને બોલ્યા કે- “જગતમાં જેઓ ગુણના ભંડાર છે તે પુરૂષો સ્વાભાવિક રીતે સ્વગુણની શ્લાઘા બીલકુલ કરતા જ નથી, પરંતુ હંમેશા પરગુણની પ્રશંસા જ કર્યા કરે છે. સન્તપુરૂષો આપબડાઇ કદિ કરતા જ નથી. એમના ગુણો તો આપોઆપ ઝળકી ઉઠે છે અને તેઓ પૂજનીય બને છે. ભલે સાકર ન કહે કે હું સ્વાદમાં ગળી છું પણ તેમાં રહેલી મીઠાશ છાની રહે તેમ નથી. ભલે ચંદન ન કહે કે મ્હારામાં શીતળતા ભરેલી છે પરંતુ તેની શીતળતા તો સ્વાભાવિકપણે પ્રગટ થયા વગર રહે જ નહિ. ભલે અમૃત ન કહે કે મ્હારામાં અનુપમ મીઠાશ છે પરંતુ તેનો મહાન ગુણ અને રસમધુરતા જગતમાં છુપા રહી શકે જ નહિ, તેવી જ રીતે સૂરિશ્રી હેમચંદ્રાચાર્યને ધન્યવાદ ઘટે છે કે જેઓ કળિકાળસર્વજ્ઞનું (૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60