Book Title: Shashwat Giri Mahima
Author(s): Rushabhdas Kavi, Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 39
________________ - શાશ્વત ગિરિ મહિમા : લઇને તે લ્હાવો પોતાની માતુશ્રીને લેવરાવ્યો અર્થાત તે તીર્થમાળ સકળ સંઘ સમક્ષ પોતાની માતુશ્રીને પહેરાવી તીર્થભક્તિનો ઉત્તમ લાભ લીધો. અહો ! ધન્ય છે આવા પુત્રને ! કે જેણે આવી માતૃભક્તિ કરી પોતાની માતાનો જન્મારો સળ કરાવ્યો. કવિ ઋષભદાસ કહે છે કે - ચોપાઇ. માતા સમ નહિ તીરથ કોય, સ્વર્ગ મૃત્યુ પાતાલે જોય; જેણે માની પોતાની માય, સકળ તીર્થ ઘર બેઠાં થાય. જેણે માતાએ ઉદર ધર્યો, મળમૂત્ર ધોઇ ચોખ્ખો કર્યો; તે માતાના પૂજે પાય, ગુણ ઉસિંગણ તો નહિ થાય. સોવન બરાબર તોલે જોય, ખંધ ધરી કરે તીરથ સોય; ઇંદ્રમાળ પહેરાવે માય, ગુણ ઉસિંગણ કીમે ન થાય. પગ ધોઇને પાણી પીએ, અમૃત કવળ માતા મુખ દીએ; દેવ ચિવર પહેરાવે જોય, ગુણ ઉસિંગણ તો નહિ હોય. આ રીતે શેઠ જગડુશાહે માતૃભક્તિ નિમિત્તે ઇંદ્રમાળનો અપૂર્વ લ્હાવો લેવરાવી તુરત જ બોલીની કિંમતનું સવા કરોડનું મૂલ્યવાન એક રત્ન ત્યાં જ શ્રી સંઘને આપી દીધું. આ બનાવથી કુમારપાળાદિ સર્વે તેની બહુ પ્રશંસા કરવા લાગ્યા અને શ્રી હેમસૂરિ મહારાજના ઉપદેશથી શ્રી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60