Book Title: Shashwat Giri Mahima
Author(s): Rushabhdas Kavi, Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 16
________________ -: શાશ્ર્વત ગિરિ મહિમા : દીન ઉદ્ધાર ન કીધો જેણે, ન લહ્યો શાસ્ત્રવિચાર; ગિરિ શેત્રુંજે જે નવી ચઢિયો, એળે ગયો તસ અવતાર. જન્મ સફ્ળ કીધો નર જેણે, લક્ષ્મી સુમાર્ગે સ્થાપી; શેત્રુંજે જઇ પ્રાસાદ કરાવ્યા, તસ કીર્તિ જગ વ્યાપી. મુગતિતણે પંથે વળ્યા, પામી કેવળજ્ઞાન; સિદ્ધ અનંત આગે હુઆ, કરતા શત્રુંજય ધ્યાન. હે રાજા કુમારપાળ ! જેણે શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી લક્ષ્મીનો સર્વ્યય કરેલ છે તેણે પોતાનો જન્મ સફ્ળ કરી લીધો છે. એ પવિત્ર તીર્થના દર્શનથી કર્મના દળીયાં ટુટી જાય છે, વંદનથી નરક અને તિર્યંચગતિનાં દુઃખોનું નિવારણ થઇ જાય છે, સ્તવન અને પૂજનથી આત્મા નિર્મળ બની પરમ સુખનો અધિકારી થાય છે અને સંઘપતિ થવાથી તીર્થંકરની પદવી પમાય છે. શ્રી સિદ્ધગિરિનું ધ્યાન ધરીને અનંતા ભવ્યજીવો સિદ્ધિપદને પામ્યા છે તેની હકીકત આ નીચે જણાવી છે તે વાંચી શ્રી સિદ્ધાચળનો અપૂર્વ મહિમા સમજી તીર્થયાત્રા કરી આત્મકલ્યાણ સાધી લેવું એ પુનઃ : કથન છે. શ્રી શત્રુંજય ઉપર ચૈત્ર શુદિ ૧૫ મે પ્રથમ પ્રભુના પુનઃ Jain Education International ૧૧ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60