Book Title: Shant Sudharas Part 02
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 269
________________ આપ આ વિશ્વને પ્રકાશ આપો, તાપ આપો અને વિશ્વનું હિત કરો.” એ જ રીતે ચંદ્રોદયને નિહાળીને પ્રાર્થના કરો ઃ “હે ચંદ્રદેવતા, આપનો ઉદય ધર્મના પ્રભાવે જ થયો છે. આપ વિશ્વના જીવોને શાન્તિ અને શક્તિ આપો.” :: જ્યારે પણ વર્ષા થતી હોય, ત્યારે આકાશ તરફ જોઈને બોલો : આ ધર્મનો પ્રભાવ છે. મેઘ વરસો અને જગતના જીવોને શીતલતા પ્રદાન કરો, ધરતીને ફલપ્રદા બનાવો.' ધર્મના પ્રભાવને પુષ્ટ કરતાં ગ્રંથકાર લખે છે ઃ उल्लोलकल्लोलकलाविलासैर्न प्लावयत्यम्बुनिधिः क्षितिं यत् । न घ्नन्तियद्व्याघ्रमरुर्दवाद्या, धर्मस्य सर्वोऽप्यनुभाव एषः ।। ४ ।। ઊછળતો, કૂદતો સાગર બધી ધરતીને પોતાના પેટાળમાં ડૂબાડી દેતો નથી. કેમ ? વાઘ, સિંહ વગેરે હિંસક પશુઓ અને તોફાન-આંધી-દાવાનળ મનુષ્યજાતિનો સર્વનાશ નથી કરતાં, કેમ ? આ બધો ધર્મનો પ્રભાવ છે. સમુદ્રને કિનારે ઊભા રહીને આવું કદી જીવનમાં વિચાર્યું છે કે ઊછળતો સાગર સમગ્ર ધરતીને પોતાની અંદર વિલીન કેમ કરી દેતો નથી ? સાગરમાં શક્તિ છે, સામર્થ્ય છે, છતાં પણ તે પોતાની મર્યાદા કોના પ્રભાવે નભાવે છે ? જ્ઞાની પુરુષો કહે છે - ધર્મના પ્રભાવથી સમુદ્ર પોતાની મર્યાદાનો ત્યાગ નથી કરતો. વાઘ, સિંહ આદિ હિંસક પશુઓ કે જે લાખોની સંખ્યામાં હોય છે, તે બધાં શા માટે મનુષ્યસૃષ્ટિ ઉપર હુમલો નથી કરતાં ? કેમ માનવદેહોને ભક્ષ્ય નથી. બનાવતાં ? માનવસૃષ્ટિના અસ્તિત્વને કેમ દૂર કરી દેતાં નથી ? જ્ઞાની પુરુષોનું કહેવું છે કે એ ધર્મનો પ્રભાવ છે. આંધી, ચક્રવાત કેમ નગરો-ગામોને ઉખેડી નાખતાં નથી ? શા માટે સર્વનાશ વેરતાં નથી ? શા માટે જંગલી પશુ-પક્ષીઓ મનુષ્યોને ચૂંથી નાખતાં નથી ? જ્ઞાની મહાત્માઓ કહે છે કે આ ધર્મનો પ્રભાવ છે. સર્વનો રક્ષક ધર્મ : ધર્મના અચિન્ત્ય પ્રભાવને બતાવતાં કહે છે - यस्मिन्नैव पिताहिताययतते, भ्राता च माता सुतः सैन्यं दैन्यमुपैति चापचपलं यत्राऽफलं दोर्बलम् । तस्मिन् कष्टदशा विपाकसमये धर्मस्तु संवर्मितः सज्जः सज्जन एष सर्वजगतः स्त्राणाय बद्धोद्यमः ॥ ५ ॥ ધર્મપ્રભાવ ભાવના ૨૫૯

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308