________________
આપ આ વિશ્વને પ્રકાશ આપો, તાપ આપો અને વિશ્વનું હિત કરો.” એ જ રીતે ચંદ્રોદયને નિહાળીને પ્રાર્થના કરો ઃ “હે ચંદ્રદેવતા, આપનો ઉદય ધર્મના પ્રભાવે જ થયો છે. આપ વિશ્વના જીવોને શાન્તિ અને શક્તિ આપો.”
::
જ્યારે પણ વર્ષા થતી હોય, ત્યારે આકાશ તરફ જોઈને બોલો : આ ધર્મનો પ્રભાવ છે. મેઘ વરસો અને જગતના જીવોને શીતલતા પ્રદાન કરો, ધરતીને ફલપ્રદા બનાવો.'
ધર્મના પ્રભાવને પુષ્ટ કરતાં ગ્રંથકાર લખે છે ઃ उल्लोलकल्लोलकलाविलासैर्न प्लावयत्यम्बुनिधिः क्षितिं यत् ।
न घ्नन्तियद्व्याघ्रमरुर्दवाद्या, धर्मस्य सर्वोऽप्यनुभाव एषः ।। ४ ।।
ઊછળતો, કૂદતો સાગર બધી ધરતીને પોતાના પેટાળમાં ડૂબાડી દેતો નથી. કેમ ? વાઘ, સિંહ વગેરે હિંસક પશુઓ અને તોફાન-આંધી-દાવાનળ મનુષ્યજાતિનો સર્વનાશ નથી કરતાં, કેમ ? આ બધો ધર્મનો પ્રભાવ છે. સમુદ્રને કિનારે ઊભા રહીને આવું કદી જીવનમાં વિચાર્યું છે કે ઊછળતો સાગર સમગ્ર ધરતીને પોતાની અંદર વિલીન કેમ કરી દેતો નથી ? સાગરમાં શક્તિ છે, સામર્થ્ય છે, છતાં પણ તે પોતાની મર્યાદા કોના પ્રભાવે નભાવે છે ? જ્ઞાની પુરુષો કહે છે - ધર્મના પ્રભાવથી સમુદ્ર પોતાની મર્યાદાનો ત્યાગ નથી કરતો.
વાઘ, સિંહ આદિ હિંસક પશુઓ કે જે લાખોની સંખ્યામાં હોય છે, તે બધાં શા માટે મનુષ્યસૃષ્ટિ ઉપર હુમલો નથી કરતાં ? કેમ માનવદેહોને ભક્ષ્ય નથી. બનાવતાં ? માનવસૃષ્ટિના અસ્તિત્વને કેમ દૂર કરી દેતાં નથી ? જ્ઞાની પુરુષોનું કહેવું છે કે એ ધર્મનો પ્રભાવ છે.
આંધી, ચક્રવાત કેમ નગરો-ગામોને ઉખેડી નાખતાં નથી ? શા માટે સર્વનાશ વેરતાં નથી ? શા માટે જંગલી પશુ-પક્ષીઓ મનુષ્યોને ચૂંથી નાખતાં નથી ? જ્ઞાની મહાત્માઓ કહે છે કે આ ધર્મનો પ્રભાવ છે.
સર્વનો રક્ષક ધર્મ :
ધર્મના અચિન્ત્ય પ્રભાવને બતાવતાં કહે છે -
यस्मिन्नैव पिताहिताययतते, भ्राता च माता सुतः
सैन्यं दैन्यमुपैति चापचपलं यत्राऽफलं दोर्बलम् । तस्मिन् कष्टदशा विपाकसमये धर्मस्तु संवर्मितः सज्जः सज्जन एष सर्वजगतः स्त्राणाय बद्धोद्यमः ॥ ५ ॥
ધર્મપ્રભાવ ભાવના
૨૫૯