Book Title: Shah Sodagar Jamal Author(s): Madhavrav B Karnik Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 6
________________ વિદ્યાર્થી વાચનમાળાદધામાં કદી કદી ધંધાદારી અપ્રમાણિકતા ચલાવતા, અને આ કારણે તેમને માથે અપ્રમાણિકતાનું કલંક ચોટેલું હતું. જમાલ શેઠે આ કલંક ટાળવા ભારે પ્રયત્ન કર્યા. તેમની વેપારી રીતભાત એટલી ચેમ્મી, એટલી વ્યાવહારિક અને એટલી પ્રમાણિક હતી, કે તેમને થોડા જ સમયમાં રંગૂનના વેપારીઓ ” શાહ સોદાગર જમાલ ” એ નામથી ઓળખવા લાગ્યા. તેમની દુકાનેથી માલ લેનારાને છેતરાવાનો કે ભાવફેર થવાને જરા પણ ભય ન રહેતો, અને તેથી નાના વેપારીઓ તેમની સાથે જ વેપારીસંબંધ બાંધવા લાગ્યા. કાપડના વેપારે જમાલ શેઠને શાહ સોદાગરનું બિરુદ આપ્યું અને સાથે સાથે અઢળક ધનની પણ તેમને પ્રાપ્તિ થઈ. હવે તેમણે ભારતવર્ષનો વેપારીવિકાસ કરવાના સ્વપ્નાઓ સેવવા માંડ્યાં. બ્રિટન, જર્મની, અમેરિકા અને જાપાન એ દેશને લાખાને માલ આવીને ભારતને કિનારે ખડકાતો. ભારતવાસી વેપારીઓ તેના દલાલ બનીને એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28