Book Title: Shah Sodagar Jamal
Author(s): Madhavrav B Karnik
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 25
________________ શાહ સોદાગર જમાલ ૨૩ કાયમ રાખી, છેવટે આ સંસારમાંથી વિદાય લીધી હતી. તેઓ ચુસ્ત ભારતવાસી હતા. દરેક સારે પ્રસંગે તેઓ કચ્છી મેમણ મુસલમાનને જ પોશાક પહેરતા અને પોતાનું ગૂજરાતીપણું જાળવી રાખતા. તેમને સ્વભાવ નિખાલસ અને ઉદાર હતો. દેખાવે તેઓ ઊંચા અને કદાવર તથા શરીરે હૃષ્ટપુષ્ટ હતા. મોટું વિશાળ હતું. હાથ લાંબા હતા અને પડછંદ દેહનો ખ્યાલ આપતા. માથે કચ્છી મેમણનો ફેટ અથવ પાઘડી શોભતી અને ડિલ ઉપર જામે ધારણ કરતા તથા એ જ ઢબને કેટ પહેરતા. વેપાર ધંધાને માટે તેમને વારંવાર મુંબઈ આવવું પડતું. આથી તેઓ મુંબઈના વેપારી વર્ગમાં પણ જાણીતા હતા. નમ્ર સ્વભાવ અને ઉદારતા તેમનાં ખાસ લક્ષણે હતાં. ગૂજરાતીપણું તેમના રક્તના બુંદેબુંદે વ્યાપેલું હતું. તેઓ વેપારી ભૂમિમાં વેપારી ન્યાતિમાં જન્મ્યા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28