Book Title: Shah Sodagar Jamal
Author(s): Madhavrav B Karnik
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 15
________________ :શાહ સોદાગર જમાલ ૧૩ પણ આ કાર્યમાં નસીબે વેપારવીર જમાલ શેઠને સાથ ન આપ્યો. તેમની એક ભૂલ થઈ ગઈ. વિદેશીઓ આવા જ પ્રકારના ધંધો શરૂ કરે છે, ત્યારે હમેશાં તેઓ પહેલાં શાસ્ત્રીય શેઠે કરાવે છે. ફક્ત સામાન્ય વહેવારુ બુદ્ધિ ઉપર જ તેઓ આધાર રાખતા નથી. જમાલ શેઠે પણ તેમ કર્યું હતું, તો ખાંડના ઉદ્યોગને વિકાસ કરવા જતાં જે ગંભીર આંર્થિક ફટકો તેમને વેઠ પડ્યો તે કદાચ ન વેઠ પડત. શેરડીમાં અનેક જાતો હોય છે. શેરડી જેમ વધારે દળદાર અને પાણીનું પ્રમાણ ઓછું હૈય, તેમ તે શેરડીની ખાંડ વધારે પ્રમાણમાં બને છે. બ્રહ્મદેશ વષનો પ્રદેશ હોવાથી, અહીંની શેરડીમાં પાણીનું તત્વ બેહદ છે. જમાલશેઠનું કારખાનું શરૂ તો થયું; પણ આ કુદરતી કારણને લીધે, તેમને આ વેપારમાં ભારે હાનિ વેઠવી પડી. ખાંડ સારી અને સસ્તી તૈયાર થઈ શકી નહિ. ધંધા બંધ કરવો પડયો અને Jain Education International ernational For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28