Book Title: Shah Sodagar Jamal Author(s): Madhavrav B Karnik Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 8
________________ વિદ્યાર્થી વાચનમાળા-૮ અને અહીંના લોકો પણ તેને લાભ પ્રાપ્ત કરી શકે. આ ઉદ્દેશથી તેમણે ચોખાને વેપાર હાથમાં લીધો અને તેની ખીલવણી કરવા માંડી. રંગૂન એ ચોખાનું મોટામાં મોટું કેન્દ્ર ગણાય છે, કારણ કે બ્રહ્મદેશમાં જે ચોખા પાકે છે તે સઘળાની નિકાશ રંગૂન બંદર દ્વારા થાય છે. અહીં ચોખાનો વેપાર કરનાર નાના-મોટા સેંકડો વેપારીઓ છે. ઘણા વેપારીઓની જાતની ખેતી છે. ઘણા વેપારીઓ ખેડૂતો પાસેથી ચોખાની ખરીદી કરે છે. ઘણું કરીને ચોખાના વેપારીઓની દરેકની મિલો હોય છે. વેપારીઓ ડાંગર ખરીદે છે, મિલોમાં તેના ચોખા બને છે અને તે રંગૂનના બંદર વાટે બહારગામ ચઢે છે. શ્રી જમાલ શેઠે આ ધંધો મોટા પ્રમાણમાં કરવાનું નિરધાર્યું અને તેમણે ચોખાની ખરીદી કરવા સામાન્ય શરૂઆત કરી. આરંભમાં તેમને આ કામમાં હાર્યા જેટલી પેદાશ થઈ નહિ, છતાં જમાલ શેઠ એવા આગ્રહી હતા. કે તેમણે ચોખાને વેપાર કંટાળીને તજી દીધે નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28