________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮ ) કંઈ અવશેષ નથી. આત્માની જ્ઞાનાદિક અખંડ સંપત્તિ પ્રાપ્ત કરી ભવ્યાત્માઓ બાહ્ય સંપત્તિઓથી નિસ્પૃહ બને છે. દેવેન્દ્ર અને ચકવત્તીઓથી પણ તેઓ અધિક સુખી હોય છે. ( નિઃસ્પૃહ તૃવત્ નામાવતે ) નિઃસ્પૃહતાનું મૂળ કારણ આત્મભાવના છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રયુક્ત હું આત્મા અદ્વિતીય-એક છું, પુલભાવથી ભિન્ન છું, નિશ્ચયનયથી અને સંગ્રહનયની અપેક્ષાએ હું શુદ્ધ છું, બુદ્ધ છું અને પરિપૂર્ણ છું. મહારૂં શુદ્ધ સ્વરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રમય છે, નિશ્ચયનયે વિપાક કર્મથી જુદા છું, હું અસંખ્યાત પ્રદેશી આત્મા છું. કાયા માયા આદિ વિનશ્વર ધર્મોથી અલગ છું. હું સ્ત્રી પુરૂષ અને નપુંસક વેદ રહિત-અવેદી છું. વળી હું અરૂપ, અમૂર્ત અવિનાશી અને અખંડ જ્યતિ સચ્ચિદાનંદ સ્વરૂપ છું. આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત છું. તેમ જ શુદ્ધ બ્રહ્મ રૂપ છું છતાં હું અનાદિ કાળથી મિથ્યા પ્રવૃત્તિને લીધે વ્યવહારથી દુ:ખ ભોગવું છું, મહારા જન્મમરણનું કારણ તે અજ્ઞાનતા છે, અજ્ઞાનતાથી કરેલાં કર્મો અજ્ઞાનતાએ ભેગવ્યાં તેથી સંસાર વધાર્યો. હે મ્હારી ભૂલ જાણી નહીં તેથી દુ:ખના પ્રસંગે ભગવ્યા. જ્ઞાનની બલિહારી છે, કહ્યું છે કે – જ્ઞાન સમાન ધન નહીં, સમતા સમું નહીં સુખ જીવન સમી આશા નહીં, લેભ સમું નહીં દુઃખ છે ૧છે
જ્ઞાની પુરુષ શ્વાસોશ્વાસમાં કઠિન કર્મોનો નાશ કરે છે, નિશ્ચયથી હું અક્રોધી, અમાની, અમાયી, અલભી, અષી, અખેદી, અદી, અભેદી એ સિદ્ધ સ્વરૂપી છું, જ્ઞાનિ પુરૂએ સત્તાએ આત્માને સિદ્ધ સમાન કહો છે. જ્યારે તેવા ભાવને જાણી કર્મવિપાકથી અલગ થઈશ ત્યારે તેવા ગુણ પ્રગટ થશે. માટે કર્મનું સ્વરૂપ
For Private And Personal Use Only