Book Title: Saptatishat Sthana Prakaranam Part 2
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 102
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખથી અધિક એવા અને સ્વાભાવિક આત્મિક ગુણેની ખીલવણીવાળા મોક્ષસુખને હું પ્રાપ્ત કરૂં તેવા પ્રકારને કોઈ પણ સમય આવશે?” આવી સુંદર ભાવના ભાવવાથી આત્મજ્ઞાન, આત્મધર્મ અને સાચો આત્માનુભવ પ્રાપ્ત થશે એટલું જ નહીં પણ સત્યસુખ– નિરૂપાધિક સુખની પ્રાપ્તિ થશે, માટે હે ચેતન ! ક્ષણમાત્ર તું પ્રમાદ કરીશ નહીં, સદા તું શુદ્ધ ઉપગમાં રહેજે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણ પ્રકારનાં આત્માનાં સ્વરૂપ છે. ગિલિક વસ્તુઓમાં મહારાપણાની બુદ્ધિ તથા શરીર, કુટુંબ, ધનધાન્ય આદિક આત્માથી ભિન્ન વસ્તુઓમાં આસક્તિ રાખે તે બહિરાત્મા છે. તેમજ જે પ્રાણું શરીર ઉપર આત્મબુદ્ધિ ધારણ કરે છે એના સુખમાં આનંદ માની મેજમજામાં પૂર્ણતયા રસ લે છે. એને પિતાનું સર્વદા માને છે એના ઉપર માયા મમતા રાખી એમાંજ સદા બંધાયેલું રહે છે તે બહિરાત્મા સમજવો. શરીર અને ઘરથી એટલે તમામ પિગલિક વસ્તુઓથી અસંખ્યાત પ્રદેશી આત્મા અલગ છે તેમજ દશ પ્રાણથી રહિત, અરૂપી, અવિનાશી, નિર્ભય શુદ્ધ ચિદાનંદ આત્મા શરીરમાં રહેલો છતાં બહિરાત્માના દષ્ટા તરીકે આસક્તિ રહિત જે છે તે અંતરાત્મા જાણો. કાયાદિક પરવસ્તુ–પદ્ગલિક ઉપર મમત્વ ન રાખતાં તેના સાક્ષી રૂપે દ્રષ્ટા તરીકે રહે તેને અંતર આત્મા સમજે. યથાખ્યાત ચારિત્ર પાળી ચાર ઘાતિકર્મ ખપાવી ક્ષીણ મહી બની કેવલજ્ઞાન પ્રાપ્ત કરે તે પરમાત્મા જાણવો. સકળ ઉપાધિના ત્યાગ પૂર્વક જ્ઞાનાનંદમાં સદા રમણ કરે અને અતીતિય ગુણનું સર્વોત્તમ સ્થાનક થાય તે પરમાત્મા સમજ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112