________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
સાધુને તેની ઇચ્છા કરવી ઘટે નહી, જો ગૃહસ્થ પેાતાના નિત્ય નિયમને આરાધે અને પેાતાનુ કર્તવ્ય સમજી ઉપયાગ પૂર્વક ધર્મ સેવના કરે તેા ચારિત્ર મેળવવા યાગ્ય બને છે. ચારિત્રધારી અની મેક્ષ મેળવે છે. ગૃહસ્થપણામાં ધર્મ સેવનાર દેવ પણુ થાય છે. પેાતાના ષટ્ કર્મો હ ંમેશાં ગૃહસ્થે પણ કરવાં જેમકે
देवपूजा गुरूपास्तिः, स्वाध्यायः संयमस्तपः । दानं चेति गृहस्थानां, पड़कर्माणि दिने दिने
।। શ્ ।।
ભાવાર્થ “ દેવપૂજા, ગુરૂની સેવા, સ્વાધ્યાય, ધાર્મિક શાસ્ત્રનું અધ્યયન, સંચમ-વેરાગ્ય ભાવના, તપશ્ચર્યા, અને દાન એ છ કર્મો ગૃહસ્થાને પ્રતિ દિવસે કરવાનાં કહ્યાં છે. ૧
न कयं दीद्धरणं, न कयं साहम्मिआण वच्छल्लं । हिअयंमि वीयराओ, न धारिओ हारिओ जम्मो || ૨ ||
ભાવા—દીન જનાના જેણે ઉદ્ધાર ન કર્યો, તેમજ સાર્મિક જનાનુ જેણે વાત્સલ્ય ( સેવાભક્તિ ) ન કર્યું અને હૃદયમાં જેણે વીતરાગ ભગવાન ધારણ નથી કર્યા તેણે પેાતાના જન્મ કેવળ વ્યર્થ ગુમાવ્યે જાણવા. ૨
સ્વાભાવિક શુભ ધ્યાને તેની સેવના થાય તે તેમાં તે ઉપર આસક્તિ ભાવ કરવા નહીં, તેજ ઉત્તમ જીવન બનાવવામાં હિતકારી છે, પુણ્યથી દેવદેવેદ્ર ચક્રવત્તીપણાની પદ્મવીએ મળે છે, છતાં સાધુજીવનની ઉત્તમતા એથી વધારે છે, ઉપાધ્યાયજીના વચના તરફ ધ્યાન આપીએ કે
सुखिनो विषयैस्तृप्ता - नेन्द्रोपेन्द्रादयोऽप्यहो ? | भिक्षुरेकः सुखी लोके, ज्ञानतृप्तो निरञ्जन:
For Private And Personal Use Only
" ? ॥