Book Title: Samvedh Chatrishi
Author(s): Ajitsagarsuri
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના સંવત્ ૧૯૭૫ના ચાતુર્માસમાં મારે કંઈક કાર્યપ્રસંગે પાલણપુર જવાનું થયું. જે વખતે ત્યાં ચેલા મહેતાની ધર્મશાળામાં ગચ્છાધિપતિ શાસ્ત્રવિશારદ જેનાચાર્ય ગનિષ્ઠ પૂજ્યપાદ પાતઃસ્મરણીય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરના શિષ્ય પ્રસિદ્ધ વક્તા પંન્યાસજી અજીતસાગરજી ગણિ થાણાં ચાર ચાતુર્માસ હતાં. તેઓશ્રીના દર્શનાર્થે જતાં ત્યાં આગળ જૈનતત્વજ્ઞાનના સંબંધમાં કેટલીક વાતચિત કરવાનો પ્રસંગ મને મળે. જેનતત્વજ્ઞાન એટલું બધું ઝીણું અને રહસ્યમય છે કે જે ઘણું લેકે જોઈએ તેટલી સરળતાથી સમજી શક્તા નથી. આ અગવડતા દૂર કરવા માટે તે વિષય ઉપર પ્રકાશ નાંખે એવા સારા ગ્રંથેની ખાસ કરીને આવશક્યતા છે. આ પ્રસંગે સંવેધછત્રીશીના મૂળદ્વારના ટુંક વિવેચન સાથેના મહારાજશ્રીએ લખેલા એક લેખે મારૂં લક્ષ્ય ખેંચ્યું. વિષય તત્વજ્ઞાન સંબંધી હાઈ ઘણો ઉપયોગી જણાયે, પણ વિવેચન ઘણા ટુંકાણમાં હોવાથી એકંદરે સમજવામાં વધુ પ્રમાણમાં તે ઉપયોગી થઈ ન પડે એમ મને લાગ્યું. મહારાજશ્રીની પણ સંપૂર્ણ એવી ઈચ્છા હતી કે આ લેખ ઉપર વધુ વિસ્તાર પૂર્વક વિવેચન કરવામાં આવે તે આખે વિષય સમજવામાં ઘણું જ સરળ થઈ પડે. મને પણ તેઓશ્રીનો આ વિચાર એગ્ય લાગ્યું જેથી આ કાર્ય પૂર્ણ કરી આપવા મને જણાવવામાં આવ્યું. મૂળ વસ્તુસંકલના મહારાજશ્રીએ કરેલી હતી તેથી આ ગ્રંથના મૂળ યાજક તરીકે તેઓશ્રી છે. હવે આ ગ્રંથના વિષય સંબંધમાં કંઈક લખીશું તે અસ્થાને નહિજ ગણાય. જેનદષ્ટિએ આ જગત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, અને પુદ્ગલાસ્તિકાય એ ૫ પદાર્થોના સમુદાયરૂપ અનાદિકાળથી છે, અને અનન્તકાળ સુધી રહેવાનું છે. તેમાં પદાર્થોનાં રૂપાન્તર પલટાઈ હીનાધિક થયા કરે છે, પરતુ આ જગતનો સર્વથા પ્રલય અન્યદર્શનમાં મનાયેલા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 163