Book Title: Samvatsari Pratikramana Vidhi Sahit
Author(s): Ila Mehta
Publisher: Ila Mehta

View full book text
Previous | Next

Page 284
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૨૩૧ અહં તિર્થીયર માયા, સિવાદેવી તુમ્હનયર નિવાસિની, અખ્ત સિવં તુમ્હ સિવું, અસિવોવસમ સિવં ભવતુ સ્વાહા (૩) (૨૨) સર્વ જગતનું કલ્યાણ થાઓ, પ્રાણીઓનો સમુદાય બીજાના હિતમાં તત્પર થાઓ, દોષો નાશ પામો અને સર્વઠેકાણે લોકો સુખી થાઓ. (૨) (૨૧) હું નેમિનાથ તીર્થંકરની માતા શિવાદેવી તમારાં નગરમાં રહેનારી છું. અમારું કલ્યાણ થાઓ, તમારું કલ્યાણ થાઓ. વિનનો નાશ અને કલ્યાણ થાઓ. (૩) (૨૨) (અનુષ્ટ્રપ) ઉપસર્ગા ક્ષય યાંતિ છિદ્યતે વિદન વલ્લયા, મનઃ પ્રસન્નતા મેતિ પૂજ્યમાને જિનેશ્વરે (૪) (૨૩) સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણમ્, પ્રધાન સર્વ ધર્માણાં જૈન જયતિ શાસનમ્ (૫) (૨૪) શ્રી જિનેશ્વરની પૂજા કરવાથી ઉપસર્ગો ક્ષય પામે છે. વિઘ્નરૂપી વેલડીઓ છેદાય છે અને મન પ્રસન્નતાને પામે છે. (૪) (૨૩) સર્વ મંગલોમાં મંગલકારી, સર્વ કલ્યાણનું કારણ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું શ્રી જૈનશાસન જય પામે છે. (૫) (૨૪) શ્રી હરિભદ્રસૂરિ મહારાજના સંસારી અવસ્થાના ભાણેજો હંસ અને પરમહંસ - જે પાછળથી તેમના શિષ્યો બન્યા. તેઓ બંને બૌધશાળામાં ભણવા ગયા, પરંતુ ત્યાં તેમને જૈન જાણી મારી નાંખવાની ગોઠવણ થઈ. તેથી તેઓ બંને ત્યાંથી નાઠા. પરંતુ રસ્તામાં એકને મારી નાખવામાં આવ્યા અને બીજા શિષ્ય બહાદુરી સાથે ઠેઠ ઉપાશ્રય સુધી આવી પહોંચી પાસેનું પુસ્તક ઉપાશ્રયમાં ફેક્યું અને તે પછી બૌધ ભિક્ષુકોએ તેમને મારી નાખ્યા. પછી ભિક્ષુકો પૂ.શ્રી હરિભદ્ર સૂરિશ્વરજીની બીકે નાસી ગયા. તે પુસ્તકમાંથી આ ‘બ્રહશાંતિ સૂત્ર” મળી આવેલું છે. ઉપસંહારમાં “શીવાદેવીનું નામ જે શ્રી અરિષ્ઠ નેમિ ભગવંતનો માતા શીવાદેવીરૂપે હોઈ શકે. અને આ સ્તોત્ર જ એ દેવીએ બનાવીને શ્રી સંઘને અર્પણ કર્યું હોય અને આ પ્રમાણે આશીર્વાદ આપીને ગયા હોય.

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334