________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૫૩
શ્રી પચ્ચકખાણનાં સૂત્ર, અર્થ અને સમજૂતી
પચ્ચક્ખાણ લેનારને તે તે પચ્ચક્ખાણના સમયની મર્યાદા (દા.ત. સૂર્યોદયનો સમય ૭.૦૦વાગે. દિવસ ૧૨ કલાકનો ગણીને) ૧) નવકાર-સહિઅં પચ્ચખાણ સૂર્યોદય પછી ૪૮ મિનિટ (બે ઘડી)
દા.ત. ૭:૪૮ મિનિટે ૨) પોરિસિ-પચ્ચકખાણ સૂર્યોદયથી દિવસના ચોથા ભાગ
(એક પ્રહર)=૩ કલાકે દા.ત. ૭:00+ ૩ કલાક = ૧૦:૦૦ વાગે ૩) સાઢ-પોરિસિ-પચ્ચકખાણ સૂર્યોદયથી દિવસનો છ આની ભાગ
(દોઢ પ્રહર)૭:૦૦+૪.૩૦ કલાક= ૧૧:૩૦ વાગે ૪) પુરિમઢ-પચ્ચક્ખાણ : સૂર્યોદયથી દિવસના મધ્યભાગ (મધ્યાહ્ન)
(બે પ્રહર) ૭:૦૦ + ૬ કલાક=૧ વાગે ૫) અવઢ-પચ્ચકખાણ : સૂર્યોદયથી દિવસનો પોણો ભાગ
(ત્રણ પ્રહર) ૭:૦૦ + ૯ કલાક=૪ વાગે (દિવસ જેટલા કલાકનો હોય, તેને ચાર વડે ભાગવાથી એક પ્રહર થાય, જ્યારે ૧૨ કલાકનો દિવસ હોય ત્યારે ૪ વડે ભાગવાથી ૩ કલાકે એકપ્રહર થાય.) પચ્ચખાણ લેનારના જાણકાર-અજ્ઞાની) વિશુદ્ધ આદિ ભેદો ૧) વિશુદ્ધઃ-પચ્ચકખાણ સૂત્ર અને અર્થ જાણે અને જાણકાર પાસે ગ્રહણ કરે. ૨) શુદ્ધ-પચ્ચકખાણ સૂત્ર અને અર્થપોતે જાણે અને અજ્ઞાની પાસે ગ્રહણ કરે. ૩) અર્ધશુદ્ધઃ- પચ્ચકખાણ સૂત્ર અને અર્થ પોતે પણ ન જાણે પણ જાણકાર
પાસે ગ્રહણ કરે. ૪) અશુદ્ધ:-પચ્ચખાણ સૂત્ર અને અર્થપોતે પણ ન જાણે અને અજ્ઞાની પાસે
ગ્રહણ કરે. (પહેલો - બીજો ભાંગો સારો, ત્રીજો જાણકાર પાસે જ્ઞાન પ્રાપ્ત કરશે તેવી આશાથી કાંઇક સારો પણ ચોથો ભાંગો તો સર્વથા અયોગ્ય જ કહેવાય)