Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 85
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થતાં બધે બ્રહ્મનાં જ દર્શન થાય છે. तावदेव निरोधः स्याधावतत्त्वं न विन्दति । विदिते तु परे तत्त्वे एकमेवानुपश्यति ॥ જ્યાં સુધી તત્ત્વજ્ઞાન ન થાય ત્યાં સુધી ઇન્દ્રિયોનો સંયમ કરવો પડે છે. પરમ તત્ત્વ જણાયા પછી અપરોક્ષાનુભવ થતાં એક માત્ર બ્રહ્મને જ બધે જુએ છે. (ઉ.ગી. ૧/૫૫) વળી, એક પગે ઊભો રહી, હજારો વર્ષો સુધી મનુષ્ય તપ કરે તો પણ એક જ આ જ્ઞાનયોગ સોળમાં ભાગની યોગ્યતાને પણ તે પામી શકતો નથી . (ઉ.ગી. ૨/૪૦) એમ કહી ભગવાન જ્ઞાનયોગને જ શ્રેષ્ઠ ગણે છે. બ્રહ્મજ્ઞાન પછી બધું જ વ્યર્થ છે. એમ આપોઆપ જીવને સમજાય છે. જયાં સુધી જીવ આત્મતત્ત્વને જાણતો નથી ત્યાં સુધી જ સર્વ કર્મો, અંદર-બહારની શૌચ ક્રિયાઓ, મંત્ર-જાપો, યજ્ઞો અને તીર્થયાત્રાઓ વગેરે જરૂરી છે. (ઉ.ગી. ૨/૪૩) ભગવદ્ગીતામાં કહ્યું છે, “જ્ઞાની તો મારો આત્મા છે” (ભ.ગી. ૭/૧૮) “ એકનિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની હોય તો તે શ્રેષ્ઠ છે... અને તે જ્ઞાનમાર્ગ શ્રેષ્ઠ પણ અઘરો હોવાથી ભગવગીતામાં ભક્તિમાર્ગ અને કર્મમાર્ગ માત્ર સામાન્ય માનવીને નજર સમક્ષ રાખી ઉપદેશ્યા છે. તેથી ત્યાં વ્યક્ત સગુણ સ્વરૂપને પણ મહત્ત્વનું ગણવું જ પડે. પરંતુ ઉત્તરગીતામાં જ્ઞાનીને જ મહત્ત્વનો ગણ્યો હોઈ જ્ઞાનમાર્ગ અને તે દ્વારા મેળવી શકાતું નિર્ગુણ સ્વરૂપ જ બતાવ્યું છે. વળી, આ અંતિમ નિરાકાર સ્વરૂપને જગતના સંદર્ભમાં ઉપદેશ્ય નથી. જે આત્મા નિર્વિકાર-નિરાકાર સ્વરૂપને પામવા આવું બ્રહ્મનું નિર્વિકાર-નિરાકાર સ્વરૂપ જ જાણવું જોઈએ. માટે સંપૂર્ણપણે તેના તાત્ત્વિક સ્વરૂપને ઉત્તરગીતાએ નિરૂપ્યું છે. જીવ-જગતના ઉત્પત્તિના પ્રશ્નમાં જરાપણ ડોકિયું કર્યું નથી અને તત્ત્વવિદ્યાના સંદર્ભમાં વિચારીએ તો કહી શકાય કે ઉત્તરગીતામાં પરબ્રહ્મનું તાત્વિક સ્વરૂપ સ્પષ્ટ કરી તે સંદર્ભમાં જ જીવ-જગતના તાત્ત્વિક સંબંધો સ્પષ્ટ કરેલ છે. જીવ-જગતના ભૌતિક સ્વરૂપને લેશમાત્ર સ્પર્શ કર્યો નથી. માત્ર “જ્ઞાનને જ નજર સમક્ષ રાખી તેની સાથે સંબંધિત આત્મા-પરમાત્માની ચર્ચા કરતી ઉત્તરગીતામાં ભગવદ્ગીતાનો તાત્તિકનિચોડ જોવા મળે છે. અથવા કહી શકાય કે ભગવદ્ગીતામાંથી પ્રાપ્ત થતો તાત્વિક નિચોડ આપણને ઉત્તરગીતા રૂપે મળે છે. મુક્તિ અથવા મોક્ષ : ઉત્તરગીતામાં ‘સુષુણ્ણા નાડી' કે જે સર્વ પ્રાણીઓના દેહોમાં છે તેનું મૂળ સર્વોપરી બ્રહ્મ હોવાનું કહ્યું છે.આ બ્રહ્મ જગતમાં, સર્વત્ર વ્યાપ્ત છે અને જગતના સંદર્ભમાં બ્રહ્મ જ સર્વોપરી છે, તે જ જગતનું ઉત્પત્તિ કારણ છે, તે જ જગતનો આધાર છે તેમ જણાવ્યું છે. આમ બ્રહ્મ સ્થૂળ રૂપે જગતથી પર હોવા છતાં સૂક્ષ્મરૂપે (આત્મતત્ત્વરૂપે) જગતમાં જ વ્યાપ્ત છે. બ્રહ્મની સુષુમ્ભાનાડી (કુંડલિની શક્તિ)માં સમગ્ર જગત સમાયેલ છે. (ઉ.ગી. ૨૧૩ થી ૧૮) એનો અર્થ એ કે “જગત બ્રહ્મથી પર નથી. બ્રહ્મની પ્રકૃતિ જ શું અહીં કુંડલિની શક્તિ નહીં હોય ? ઉત્તરગીતા જણાવે છે કે દેહની જુદી જુદી નાડીઓમાં જ શક્તિ રહેલ છે તે શક્તિ પરમાત્મ સ્વરૂપ પામવા માટે મદદરૂપ બને છે. ઈશ્વર જ સર્વ દેહમાં રહેલો હોઈ આત્મા જયારે પોતાના એ સાચા સ્વરૂપને ઓળખે છે ત્યારે મુક્તિ પામે છે. જીવાત્માના પરમાત્મા સાથેના સંબંધ વિષે આ સિવાય ખાસ ઉલ્લેખ નથી. ઉત્તરગીતામાં એક બાબત ભગવદ્ગીતાની જેમ જ જોવા મળે છે અને તે એ કે ઈશ્વર સર્વ જીવો પ્રત્યે સમદૃષ્ટિની અપેક્ષા રાખે છે. સમદષ્ટિવાળાને “સર્વમ્ ખલુ ઇદમ્ બ્રહ્મ” એટલે કે બધામાં બ્રહ્મનાં દર્શન થાય છે. અને ત્યારે પોતાના પરમાત્મા સાથેના સંબંધને તે સ્પષ્ટ રીતે સમજી શકે છે. ૮0 સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬– માર્ચ, ૨૦૦૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110