________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦
સમયસાર,
[ભગવાનશ્રીકુંદકુંદ
अथैतद्वाध्यते--
एयत्तणिच्छयगदो समओ सव्वत्थ सुंदरो लोगे। बंधकहा एयत्ते तेण विसंवादिणी होदि।।३।।
एकत्वनिश्चयगतः समयः सर्वत्र सुन्दरो लोके। बन्धकथैकत्वे तेन विसंवादिनी भवति।। ३ ।।
समयशब्देनात्र सामान्येन सर्व एवार्थोऽभिधीयते, समयत एकीभावेन स्वगुणपर्यायान् गच्छतीति निरुक्तेः। ततः सर्वत्रापि धर्माधर्माकाशकालपुद्गलजीवद्रव्यात्मनि लोके ये यावन्तः केचनाप्यर्थास्ते सर्व एव स्वकीयद्रव्यान्तर्मग्नानन्तस्वधर्मचक्रचुम्बिनोऽपि
દ્વિવિધપણું પ્રગટ થાય છે.
ભાવાર્થ:- જીવ નામની વસ્તુને પદાર્થ કહેલ છે. “જીવ” એવો અક્ષરોનો સમૂહુ તે “પદ' છે અને તે પદથી જે દ્રવ્યપર્યાયરૂપ અનેકાંતસ્વરૂપપણું નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે. એ જીવપદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમયી સત્તાસ્વરૂપ છે, દર્શનજ્ઞાનમયી ચેતના સ્વરૂપ છે, અનંતધર્મસ્વરૂપ દ્રવ્ય છે, દ્રવ્ય હોવાથી વસ્તુ છે, ગુણપર્યાયવાળો છે, તેનું સ્વપરપ્રકાશકજ્ઞાન અનેકાકારરૂપ એક છે, વળી તે (જીવપદાર્થ) આકાશાદિથી ભિન્ન અસાધારણ ચૈતન્યગુણસ્વરૂપ છે અને અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. આવો જીવ નામનો પદાર્થ સમય છે. જ્યારે તે પોતાના સ્વભાવમાં સ્થિત હોય ત્યારે તો સમય છે અને પરસ્વભાવ-રાગદ્વેષમોહરૂપ થઈને રહે ત્યારે પરસમય છે. એ પ્રમાણે જીવને દ્વિવિધપણું આવે છે.
હવે, સમયના દ્વિવિધપણામાં આચાર્ય બાધા બતાવે છે:
એકત્વનિશ્ચય-ગત સમય સર્વત્ર સુંદર લોકમાં; તેથી બને વિખવાદિની બંધનકથા એકત્વમાં. ૩.
ગાથાર્થ:- [ wwત્વનિશ્ચયીત:] એકત્વનિશ્ચયને પ્રાપ્ત જે [ સમય:] સમય છે તે [નો] લોકમાં [ સર્વત્ર] બધેય [ સુન્દ્ર:] સુંદર છે [તેન] તેથી [gછત્વે] એકત્વમાં [વશ્વથા] બીજાના સાથે બંધની કથા [વિસંવાદ્રિની] વિસંવાદ-વિરોધ કરનારી [મવતિ] છે.
ટીકા:- અહીં ‘સમય’ શબ્દથી સામાન્યપણે સર્વ પદાર્થ કહેવામાં આવે છે કારણ કે વ્યુત્પત્તિ પ્રમાણે “સમયતે” એટલે એકીભાવે (એકત્વપૂર્વક) પોતાના ગુણપર્યાયોને પ્રાપ્ત થઈ જે પરિણમન કરે તે સમય છે. તેથી ધર્મ-અધર્મ-આકાશ-કાળ-પુદ્ગલજીવદ્રવ્યસ્વરૂપ લોકમાં સર્વત્ર જે કોઈ જેટલા જેટલા પદાર્થો છે તે બધાય નિશ્ચયથી (નક્કી) એકત્વનિશ્ચયને પ્રાપ્ત હોવાથી જ સુંદરતા પામે છે કારણ કે અન્ય પ્રકારે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com