Book Title: Samayik
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 25
________________ સામાયિક ૪૭૭ શાસ્ત્રકારોએ દર્શાવ્યો છે. “વ્યવહાર સૂત્રમાં (ઉ. ૪, ગા. ૩૦૯) કહ્યું છે : सामाइयं तिगुणमट्ठग्रहणं च्च। એના ઉપર ટીકા લખતાં આચાર્ય મલયગિરિએ લખ્યું છે : त्रिगुण त्रीन वरान सेहो सामायिकमुच्चरयति । નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે : __ सेहा सामाइयं तिक्खुत्तो कड्डइ । [વર્તમાન સમયમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક સમુદાયમાં સામાયિકની વિધિમાં કરેમિ ભત્તે ' સૂત્ર એક વાર બોલાય છે. સ્થાનકવાસી પરંપરામાં તે ત્રણ વાર બોલાય છે. આ એક વાર કે ત્રણ વાર બોલવાની પરંપરા કેટલી પ્રાચીન છે અને તેમાં ફેરફાર ક્યારથી થયા છે અને શા કારણથી થયા છે તે સંશોધનનો એક રસિક વિષય છે.J. સામાયિકનો સમય બે ઘડીથી વધારે રાખવામાં નથી આવ્યો, કારણ કે માનવનું ચિત્ત કોઈ પણ એક વિષયમાં સામાન્ય રીતે બે ઘડીથી વધારે સમય એકાગ્ર નથી થઈ શકતું. આ વાતને જો લક્ષમાં લેવામાં આવે તો સામાયિક લેવાની વિધિ લાંબી અને અટપટી હોય તો ચિત્ત સ્વસ્થ અને એકાગ્ર થાય તે પહેલાં એવી વિધિથી શ્રમિત ન થઈ જાય ? વિધિ વિશેનો આ પ્રશ્ન પણ એક મહત્ત્વનો પ્રશ્ન ન હોઈ શકે ? નિવૃત્ત, ધર્મપ્રેમી ગૃહસ્થો વિધિપૂર્વક સળંગ, એક કરતાં વધુ સામાયિક કરી શકે, પરંતુ જે વ્યવસાયી વ્યસ્ત ગૃહસ્થો હોય તેઓ સવાર-સાંજ સામાયિક કરી શકે અને તે પ્રમાણે કરવાનો ભાવ થાય તે માટે સામાયિકની સરળ અને સંક્ષિપ્ત ને છતાં ઉપયોગી ક્રિયાઓ સહિતની વિધિ હોવી જોઈએ. કોઈ વાર બે ઘડી જેટલો સમય પણ ન રહે અને છતાં સામાયિક કરવાનો ઉત્કટ ભાવ હોય તો શું કરવું? શ્રી રત્નશેખરસૂરિ વગેરે પૂર્વાચાર્યોએ કહ્યું છે કે આવા સંજોગોમાં “કરેમિ ભત્તે'નો પાઠ ઉચ્ચાર્યા વગર પોતાની ધારણા પ્રમાણે સામાયિક કરવું, કારણ કે “કરેમિ ભત્તે'માં જે ગુરુભગવંત માટેનો આદરભાવ છે તે સચવાવો જોઈએ. “કરેમિ ભજેનો પાઠ બોલ્યા પછી તેની પ્રતિજ્ઞાવિધિનો અનાદર ન થવો જોઈએ. એટલે “કરેમિ ભન્ત”ના ઉચ્ચારણસહિત વિધિપૂર્વક કરેલું સામાયિક તો અવશ્ય બે ઘડીનું જ હોવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41