________________
૪૮૪
જિનતત્ત્વ
(૫) ભય : હું સામાયિક નહિ કરું તો લોકો મારી ટીકા કરશે કે નિંદ કરશે. માટે એવી ચિંતા કે ભયથી સામાયિક કરવું.
(૭) નિદાન : નિદાન એટલે નિયાણું. ધન, સ્ત્રી, પુત્ર, વેપારમાં અમુક લાભ મેળવવાના ખાસ પ્રયોજનપૂર્વક સંકલ્પ સાથે સામાયિક કરવું.
(૭) સંશય : સામાયિક કરવાથી લાભ થાય છે કે નહિ તેની કોને ખબર છે એવો સંશય રાખ્યા કરવો.
(૮) રોષદોષ : રોષથી એટલે કે ક્રોધથી સામાયિક કરવા બેસી જવું. (ક્રોધથી ઉપરાંત અન્ય કષાયો સહિત સામાયિક કરવું તે.)
(૯) અવિનય દોષ : વિનયના ભાવ વગર સામાયિક કરવું.
(૧૦) અબહુમાન દોષઃ સામાયિક પ્રત્યે બહુમાન હોવું જોઈએ. એવા બહુમાન વગર કે એવા ઉત્સાહ ઉમંગ વગર – પ્રેમાદરના ભાવ વગર કે ભક્તિભાવ વગર સામાયિક કરવું તે.
સામાયિકના દસ પ્રકારના વચનના દોષ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યા છે.
कुबयण सहसाकारे, सछंद संखेव कलहं च।
विगहा विहासोऽसुद्धं निरवेक्खो मुणमुणा दोसा दस।। (૧) કુવચન : સામાયિકમાં કુવચનો, અસભ્ય વચનો, તોછડા શબ્દ, અપમાનજનક શબ્દો, બીભત્સ શબ્દો વગેરે બોલવા તે.
(૨) સહસાકાર અચાનક, અસાવધાનીથી, વિચાર્યા વિના, મનમાં જેવા આવ્યાં તેવાં વચનો બોલી નાખવાં.
(૩) સ્વછંદ શાસ્ત્રસિદ્ધાંતની વિરુદ્ધ, સામાયિકનું ગૌરવ ન સચવાય એવા અસત્યમય, મનમોજી, હલકાં, સ્વછંદી વચનો બોલવાં.
(૪) સંક્ષેપઃ સૂત્રના પાઠ વગેરેમાં આવતા શબ્દો ઇત્યાદિ પૂરેપૂરાં ન ઉચ્ચારતાં તેનો સંક્ષેપ કરી નાખવો. અક્ષરો, શબ્દો ટુંકાવી દઈને બોલવા.
(પ) કલહઃ સામાયિકમાં બીજાની સાથે ક્લેશ-કંકાસ થાય, ઝઘડા થાય એવાં વચનો બોલવાં. વળી એવાં વચનો ઇરાદાપૂર્વક બોલવાં કે જેથી બીજા લોકો વચ્ચે કલહ થાય, ઝઘડા થાય, ક્લેશ-કંકાશ થાય, અણબનાવ થાય.
(૩) વિકથા : ચિત્તને વિષયાંતર કરાવે અને અશુભ ભાવ કે ધ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org